________________
0.
:: પ્રકરણ ૮ મું. :: શ્રી જિનેશ્વરદેવની ભક્તિ અને જમાનાવાદ. पुष्पाचर्चा तदाज्ञाच, तद्रव्यपरि रक्षणम्, उत्सवास्तीर्थयात्राच भक्तिः पंचविधाजिने..
પુષ્પાદિથી પુજા કરવી, આજ્ઞાને માનવી, દેવદ્રવ્યનું રક્ષણ કરવું, ઉત્સવો કરવા અને તીર્થયાત્રા કરવી એ પાંચ પ્રકારની શ્રી જિનેશ્વરની ભક્તિ કહેવાય છે. ૧. પુષ્પાદિકથી (કેસર-ચંદન–ધુપ-દીપ-નૈવેદ્ય-પુષ્પાદિ સર્વ
પ્રકારે) શ્રી જિનેશ્વરદેવની ત્રિકાળ પૂજા કરનાર ભવ્યાત્મા સંસાર સમુદ્રને સહજમાં તરી જાય છે. ૨. દ્રવ્ય પૂજન કરવા છતાં જે તેમની આજ્ઞાને ન મનાય (ભલે આરાધનમાં સામર્થ્યને અભાવ પણ હોય તો પણ આજ્ઞાનું બહુમાન તો જોઈયેજ)-આજ્ઞાનું ઉલ્લંઘન થાય એ ભવના વિસ્તાર માટે થાય છે. ધર્મત કરવામાં નથી, કદાગ્રહમાં નથી, સગવડીયો પંથ શેધવામાં નથી, જમાને જમાને કહી વૃત્તિઓને પોષવામાં નથી (જમાને જ્ઞાનીઓના ધ્યાન બહાર હજ નહિ), શાસ્ત્રને શસ્ત્ર બનાવવામાં નથી, કે પ્રપંચની ચોપાટ ખેલવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com