________________
વાય બીજું તે ઘણુંએ હશે. સુસ્ત બહારના લેખકના હાથે ન્યૂનતા રહેજ અને તે ક્ષેતવ્ય.
*
** :
સુરતમાં ર૬ ઉપાશ્રય, આશરે ૯-૧૦ ધર્મશાળાને ૪૬ જિનેશ્વર ભગવાનના ચૈત્ય છે.
પ્રિય વાચકવૃંદ ! આ ઉપરથી જોઈ શકાય છે કે સુરતની પરમાર્થ પ્રવૃત્તિ કેટલી વિસ્તૃત છે. હજારો અને લાખોની રકમના ફડે તે ત્યાં સહજ હોય છે. જેને જેનેતરના ભેદભાવ વગરની ત્યાં સર્વવ્યાપક પરમાર્થ પરાયણતા અનુકરણીય છે. .
માત્ર સુરતમાં એમ નહિ પણ શ્રી સિદ્ધાચળ, ગીરનારજી, સમેતશીખરજી, આબુજી, કેશરીયાજી વિગેરે તીર્થસ્થલેએ પણ એમને દાનપ્રવાહ ચાલુજ. સુરત બહારના ગુરૂકુલે, બેડીંગ, પાંજરાપિળો. ઉપાશ્રયે, ચો વિગેરેને સુરતની સહાય હેય.
સુરતને આંગણે તે આશાજ એ અભંગ હારવાળા સુરત ક્ષેત્રની બલીહારી.
સુરત એ કાંઈ મુંબઈ કલકત્તા કે અમદાવાદ જેટલી વસ્તીવાલું મોટું શહેર નથી. તાપી નદીના તીરે આવેલું એ સુરત બંદર પ્રથમ જણાવવામાં આવ્યું છે કે માત્ર લાખ દોઢ લાખની વસ્તી ધરાવે છે, જેમાં જૈનો તે નામનાજ, માત્ર ચાર પાંચ હજાર છતાં આ બધી સતત શ્રેયપ્રવૃત્તિઓની પરંપરા ખરેખર આશ્ચર્ય પમાડે છે; પણ કાર્યસિદ્ધિ કાંઇ સામગ્રીની વિશાળતામાં નથી પણ પુરૂષાર્થમાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com