________________
ઘણું લેકે પૂજા કરતા હતા. પરંતુ હાલમાં વસ્તી ઓછી હેવાને લીધે એકાદ ઘર સિવાય કઈ પૂજા કરતું નથી. આ દેરાસરને વહીવટ વડાચૌટા, ખબુતરખાનાના રહીશ શેઠ ચુનીલાલ શરચંદ કાપડીઆ કરે છે. તેઓ પોતે અસલ સૈયદપુરામાં રહેતા હતા એ દેરાસરને અંગે સાધારણ ખાતાનાં બે ચાર મકાન પણ છે ને તેની ભાડાની આવક આવે છે. પરંતુ તેમાંથી ખર્ચ પૂરે પડતું નથી. માટે દેરાસરના વિભાગને માટે તેમજ ઉપર જણાવેલી રચનાઓના પુનરેદ્ધારને માટે તેમજ દેરાસરના પુનરોદ્ધારને માટે હજી ઘણી રકમની જરૂર છે. આશા છે કે સખી દિલના ઉદાર ગૃહ એ બાબત ઉપર તાકીદે લક્ષ આપશે. આ દેરાસરમાં જ્ઞાનવિમલ સૂરિની પાદુકા છે. તે પણ ઘણું પ્રાભાવિક અને પ્રાચીન છે. તે પાદુકાની દેરીને પણ જીર્ણોદ્ધાર કરવાની ખાસ આવશ્યક્તા છે, જ્ઞાનવિમલસૂરિ ૧૭૭૫ ની આસપાસ થઈ ગયા. એમના વખતના લેખે આ લેખમાં ઉતારેલા છે. આ દેરાસરમાં સુરતના જૈને દરવર્ષે પર્યુષણમાં ભાદરવા સુદ ૪ ને દિવસે બારસાસુત્ર સાંભળ્યા પછી ચૈત્ય પરિપાટી યાને જુહાર કરવા સારૂ ધામધુમથી જાય છે. સુરતના પ્રાચીન દેરાસરોમાંનું આ એક પ્રાચીન દેરાસર છે. એનું અસલનું રંગીન કામ, ચિત્ર કામ, પટો વિગેરે ખાસ જોવા જેવાં છે. જૈન ધર્મના જુદા જુદા સિદ્ધાંત તથા જુદી જુદી કથાઓ ઉપરના ચિત્રો તેમાં મળી આવે છે.]
૧૬. સંવત ૧૫૪ર વર્ષે વૈ. સુદિ ૧૦ ગઉ શ્રી શ્રીમાલ જ્ઞાતીય સં. ગંધરાજ ભા. ગુફીસુ શાંદાદા કેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com