________________
પત્રાંક-૬ ૩૯
નથી પડતો.
મુમુક્ષુ :- શ્રદ્ધા તો વિપરીત છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા, પણ એની શ્રદ્ધા નહિ જ ફરે એમ કેમ માની લેવાય ? કોઈની શ્રદ્ધાને ધ્રુવપણું કેમ દઈ દેવાય ? જેમકે ત્યાં આત્માના હિત-અહિતની ચર્ચા કરવામાં એની કાંઈક ભૂલ છે. પણ એની ઇચ્છા અને અભિપ્રાય આત્માનું હિત ક૨વાનો છે. કોઈ અન્ય મતના બે-ચાર માણસો ભેગા થઈને સત્સંગ કરે છે. અમે તો આત્માના હિતની ચર્ચાઓ કરીએ છીએ. તમે પણ આવો. ગયા. એને તો પ્રમાણિકપણે હિત કરવું છે પણ એને ખબર નથી કે આમાં અહિત કેવી રીતે થાય. તો ચર્ચા થતાં એના વિચારોમાં ફેરફાર (દેખાય), જો એનો અભિપ્રાય પ્રમાણિક હશે કે આપણે તો કલ્યાણ જ કરવું છે. જે વાટે થતું હોય એ વાટે, જે રસ્તે થતું હોય એ રસ્તે. તો તરત જ ફે૨ફા૨ ક૨શે. અને એમ લાગે કે સાચી વાત મળ્યા છતાં પણ કદાગ્રહને લઈને એ ફે૨ફા૨ નથી કરતા તો છોડી દેવું. કેમકે ત્યાં હિતનો વિષય ન રહ્યો. તો એ સંગ છોડી દેવો. પણ અન્યમતમાં એવા જીવો હોય છે કે જે ખરેખર આત્મકલ્યાણ ઇચ્છતા હોય છે પણ એની પાસે માર્ગ મળે એવી પરિસ્થિતિ નથી હોતી. એવું સાહિત્ય નથી હોતું, એવો સત્સંગ નથી હોતો. તો એવા સાચા શ્રદ્ધા-જ્ઞાનવાળા જીવોથી બીજા જે વિપર્યાસમાં ઊભેલા જીવોને ફ૨વાનો, બદલવાનો અવકાશ મળે છે. એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. અને એવી રીતે ભૂતકાળમાં ઘણા બદલ્યા છે. સંગ કર્યો તો ક્યારે કહેવાય ? કે પોતે એ ખોટું જે કાંઈ વિચારે છે, ભૂલથી વિચારે છે એને અનુસર્યે જાય તો. સત્યને છોડીને એને અનુસરવા લાગે તો કુસંગ થઈ જાય.
મુમુક્ષુ
પૂજ્ય ભાઈશ્રી :- નહિ. એમાં શું છે કે એમ કહેવામાં આવે કે, ભાઈ ! અમે પ્રમાણિકપણે આત્મહિતની ચર્ચાઓ કરીએ છીએ. તમે જો એવો અભિપ્રાય રાખતા હોય તો અમારી વચ્ચે આવો. અમે પણ આવું ઇચ્છીએ છીએ. વિચાર-વિમર્શનો પ્રસંગ રહેશે. અને સત્ય ગ્રહણ કરવું છે. તો ત્યાં ખ્યાલ આવે કે આ તો ભૂલમાં છે. ભૂલ દેખાડતાં જો એ ફે૨ફા૨ ક૨વાના અભિપ્રાયવાળા હોય તો સંગ ચાલુ રાખવો જોઈએ. ભૂલ દેખાડતા પણ કહે, નહિ. અમારે તો અમારી પક્કડ છોડવાની નથી, અમારો સંપ્રદાય છોડીને અમે કચાંય ન જઈએ. તો પોતે છોડી દેવું જોઈએ. એ પ્રકારે.
- ...
-