________________
પત્રાંક-૬૩૮
અક્રિય એટલે પરિણામ વિનાના એમ કહેવું નથી. ઉત્પાદ-વ્યય તો ત્યાં પણ છે.
પરમાર્થનયથી એ દ્રવ્ય પણ સક્રિય છે.’ એટલે પરમાર્થનયથી કહો કે ખરેખર સાચા જ્ઞાનથી જુઓ તો એમાં પણ ઉત્પાદ-વ્યયરૂપ પરિણામ થાય છે. વ્યવહા૨નયથી પરમાણુ, પુદ્ગલ અને સંસારી જીવ સક્રિય છે, કેમકે તે અન્યોન્ય ગ્રહણ, ત્યાગ આદિથી એક પરિણામવત્ સંબંધ પામે છે.' વ્યવહા૨નયથી એકબીજાનો સંયોગ થતો હોવાથી એને ગ્રહણત્યાગ કહ્યા. સંયોગ થયો ત્યારે ગ્રહણ કર્યા, સંયોગથી વિયોગ થયો ત્યારે ત્યાગ થયો એમ કહીને એને ક્રિયાવાન કહ્યા છે, સક્રિય કહ્યા છે.
૩
‘સડવું યાવત્...’ પછી કાંઈક કાગળ તૂટી ગયો છે. વિધ્વંસ પામવું એ પરમાણુ પુદ્ગલના ધર્મ કહ્યા છે.' સડવું એટલે અનેક પરમાણુમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે. જેમકે ફળ છે એ બગડી જાય છે તો કહે સડી ગયું. એવી રીતે શરીરમાં વિધ્વંસ પામવું એટલે નાશ પામવું અથવા પરમાણુ છૂટા પડવા, એ પર્યાય પૂરી થઈ જવી, કોઈ સંયોગિક પર્યાયનો નાશ થવો એને વિધ્વંસ પામવું કહે છે. પરમાણુનો કોઈ દ્રવ્યપણે નાશ થતો નથી પણ કોઈ એક સ્કંધની અથવા કોઈ પર્યાયનો નાશ થાય છે ત્યારે વિધ્વંસ પામી ગયો એમ કહેવામાં આવે છે.
એ પરમાણુ પુદ્ગલના ધર્મ કહ્યા છે. પરમાર્થથી શુભ વર્ગાદિનું પલટનપણું અને સ્કંધનું મળી વીખચવાપણું કહ્યું છે...' શુભવર્ણાદિ પલટનપણું એટલે રંગથી બીજો રંગ થઈ જાય છે. એક લીલા રંગનું પાંદડું હોય. લીલા રંગનું હોય એ સૂકાઈને પીળા રંગનું થઈ જાય. એકદમ ઘાટો લીલો રંગ હોય એ એકદમ પલટાઈને ઘાટો પીળો રંગ પણ થઈ જાય છે. એમ પલટનપણું પણ થાય છે. ‘સ્કંધનું મળી વીખરાવાપણું કહ્યું છે..' અનેક પરમાણુ ભેગા થાય તેને સંધ કહે છે. જથ્થો. જેમકે આના આટલા પરમાણુ ભેગા થયા. બળીને રાખ થાય. પરમાણુ છૂટા પડી જાય. એ વગેરે કોઈ ૫૨માણુ અને જીવના પરિણામો વિષેની ચર્ચાનો ખંડિત પત્ર છે.