________________
નમ: શ્રીસિદ્ધમ્યઃ
રાજહૃદય
ભાગ-૧૩
પત્રાંક-૬૩૮
રાણપુર (હડમતિયા), ભાદરવા વદ ૧૩, ૧૯૫૧ બે પત્ર મળ્યાં હતાં. ગઈ કાલે અત્રે એટલે રાણપુરની સમીપના ગામમાં આવવું થયું છે.
છેલ્લા પત્રમાં પ્રશ્નો લખ્યાં હતાં તે પત્ર ક્યાંક ગત થયું જણાય છે. સંક્ષેપમાં ઉત્તર નીચે લખ્યાથી વિચારશોઃ
(૧) ધર્મ, અધર્મ દ્રવ્ય સ્વભાવપરિણામી હોવાથી અક્રિય કહ્યા છે. પરમાર્થનવથી એ દ્રવ્ય પણ સક્રિય છે. વ્યવહારનયથી પરમાણુ, ગુગલ અને સંસારી જીવ સક્રિય છે, કેમકે તે અન્યોન્ય ગ્રહણ, ત્યાગ આદિથી એક પરિણામવત્ સંબંધ પામે છે. સડવું યાવત્... વિધ્વંસ પામવું એ પરમાણુ પુગલના ધર્મ કહ્યા છે.
પરમાર્થથી શુભ વણદિનું પલટનપણું અને સ્કંધનું મળી વીખરાવાપણું કહ્યું છે.પત્રખંડિત]