Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ * શા વિજય દેરાસર સંધાન ભંડાર Co. શ્રી ગોડજી જૈન દેરાસર હી શિવલજ્જ રોક, મુંબઇ-૩ [2] વાત્સલ્યથી વિશ્વ વાત્સલ્ય-વિવેચન [ 24-7-61] –મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વ વાત્સલ્યને આજના પ્રવાહ વચ્ચેનું સ્થાન અને તેની ભાવનાઓ ઉપર અગાઉ વિચાર કરવામાં આવેલ છે. વિશ્વ વાત્સલ્ય તો એવો વિષય છે કે તેની છણાવટ કરવામાં ઘણા દિવસો લાગે. અહીં તેના સંબંધમાં ટુંકમાં પણ અલગ અલગ મુદ્દાઓની છણાવટ કરવાની છે. અત્રે વિશ્વ વાત્સલ્યનો મૂળ કયાં અને કેવી રીતે વિકસે છે તે અંગે વિચાર કરવાને છે. * - વાત્સલ્યનું બીજ –વિશ્વવાત્સલ્ય શબ્દમાં બે શબ્દો આવેલા છે. વિશ્વ અને વાત્સલ્ય. વિશ્વપતિનું વાત્સલ્ય એ વિશ્વવાત્સલ્ય છે. એટલે વિશ્વ વાત્સલ્ય ઉપર વિચાર કરતાં, સર્વ પ્રથમ આપણે વાત્સલ્ય ઉપર વિચાર કરીએ કે તેનું બી(જ) શું છે? એ વૃત્તિને ઉદ્ભવ. ક્યાંથી થયો ? સમસ્ત જીવના જીવન ઉપર નજર નાખશું તો જણાશે કે પ્રાણીમાત્રની બધી પ્રવૃત્તિઓના મૂળમાં એક વૃત્તિ છે તે જીવવું અને ટકી રહેવું. I want to service—“લાંબા કાળ સુધી જીવી શકું” આ ભાવના જીવનની દરેક પ્રવૃત્તિમાં જોવામાં આવશે. બીમાંથી વૃક્ષ થશે. વૃક્ષને ફળ આવશે. ફરી તેનાં બી વવાશે અને વૃક્ષ કાયમ રહેશે. એવી જ રીતે બીજા દરેક જીવનનું છે. એટલું જ નહીં ખાવાની, પીવાની, પહેરવાની, વિચાર કરવાની, બોલવાની ઈત્યાદિ બધી પ્રવૃત્તિઓને હેતુ જીવનને ટકાવી રાખવા માટે જ છે. નાની જીવસૃષ્ટિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust