Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 405
________________ 389 બેલાવીને શિખામણ આપવા લાગ્યા: “આટલું મોટું કામ થાય તે તેમાં આટલો બગાડ થાય જ ને? તેમ ગાંધીવાદી લોકો કંઈક વહેવારૂ થતા જાઓ !" આમ થવાનું કારણ એટલું જ કે “રાજયમાં આમ તો થયા જ કરે!” એ ભાવના જડ થઈ ગઈ છે. જે એજ કામ મહાજનનું હોય તો કોઈને રખે ખબર પડી જાય !" એ રીતે લોકો ડરીને માંડ પિતાની જરૂરતનું લે. કારણકે “ધર્માદાનું ન ખવાય” એવી સામાન્ય માન્યતા હોય છે. મહાજનની ઉદારતા એવી હોય છે કે જે માણસ લે તે અપ્રતિષ્ઠિત ન થાય એની કાળજી રાખે? એટલે સમાજનાં જન સંગઠને કામ કરે ત્યાં પ્રજા ઘડતર થાય છે, પણ રાજ્યદ્વારા પ્રજાનું ઘડતર થતું નથી. , ' ' ' વિધવાત્સલ્યને દૃષ્ટિકોણ : એટલે જ વિધવાત્સલ્યની અનુબંધ વિચારધારા કહે છે કે “સમાજની મૂળભૂત શક્તિ વધે તે રીતે રાજયે. માત્ર મદદરૂપ થવું છે જોઈએ. માનવમાં પડેલી સદ્દત્તિઓનો અને સ્વતંત્રતાઓને વિકાસ થવો જોઈએ " આ માટે વિશ્વ વાત્સલ્ય, આર્થિક અને સામાજિક ક્ષેત્રે જિન-(ગ્રામ) સંગઠનોને જુદા તારવી, એ કામ રાજ્યથી અળગું ગોઠવવામાં માને છે. આમાં કશું નવું નથી. રાજ્ય તો આવા ઘટકોમાંથી ઘડાયેલા પ્રતિનિધિઓ નીચેથી આવે તેમના કહ્યામાં રહેવાનું છે. આ રીતે નીચેથી આયોજન થશે. તે નક્કર અને પાયાનું આયોજન હશે. આ માર્ગે ઓછી મૂડીવાળા અને મધ્યમવર્ગના માણસે ગામડાં તરફ વળશે. તે પ્રદેશવાર નીતિ નક્કી કરશે રાજ્યને કહેશે : “અહીં અમૂક વર્ષો સુધી મિલ્કત વેરામાંથી અથવા અમૂક બાબતેમાંથી મુક્તિ આપ.” રાજ્યપણ તેમનું જ કહ્યું કરશે. પણ આ બધું કરે કોણ? એટલેજ મહારાજ શ્રી સંતબાલજી કહે છે કે “પુનર્રચના રૂપે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426