Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 396 આયનાયકમ વિનેબાજી સાથે રહ્યા. વિચાર-વિનિમય કર્યા બાદ - વિનોબાજીએ કહ્યું: “અત્યારે “નઈ તાલીમ”નાં વિદ્યાલયને બંધ કરી - ભૂદાનના કામમાં લાગી જવું જોઈએ.” એ વિદ્યાલય બંધ કરાવ્યું, તે ઠીક હતું કે અઠીક, એ વિષે હજુ મતભેદ છે. એ વિદ્યાલય બંધ નહોતું થવું જોઈતું એ (આપણે) વિનમ્ર મત છે. એ તાલીમ દેશના ઘડતર માટે હતી અને સ્વરાજ્ય પછી એને તરત જ અપનાવવામાં આવી હોત તો આજે રાષ્ટ્રનું ઘડતર કંઈક જુદું જ હોત. એટલું ખરું કે ગ્રામદાની ગ્રામોમાં વિનોબાજીએ નઈ તાલીમને પ્રયોગ કરવા આશાદેવીને પ્રેર્યા હતા. અષ્ણાસાહેબ સહસ્ત્રબુધ્ધ કોરાપુર (ઓરિસ) માં આ પ્રયોગ કરી રહ્યા હતા. વિનોબાજીની પ્રેરણા લઈ આશાદેવી પણ ગ્રામોને નવો ઘાટ આપી રહ્યા છે. ગાંધી વિચારનું ત્રીજું બળ જે કે પહેલાં બે બળ જેટલું પ્રબળ નથી છતાં તેનું આગવું મૂલ્ય તો છે. આ બળમાં જુદી જુદી વ્યકિતઓને સમાવી શકાય. ઉપરના કાર્યો જેટલું નહીં પણ વ્યાપક રીતે વધુ સક્રિય કામ આંતરરાષ્ટ્રિય મજૂર પરિષદ (ઈ-ટુક)માં અનસૂયાબહેન, શંકરલાલ બેંકર વગેરે કામ કરી રહ્યા છે. એને રાજ્ય સંગઠનનું અંગ બનાવ્યા સિવાય મજુરોનું સ્વતંત્ર સંગઠન રાખી, ચલાવી રહ્યા છે. રીતસર કોંગ્રેસ સાથે જોડાયા વગર એ સંસ્થા વર્ષોથી કામ કરી રહી છે. બીજી તરફ શ્રી ગુલઝારીલાલ નંદા (નંદાજી) ટ્રસ્ટીશીપવાળો સમાજ રચવા મથી રહ્યા છે. તેઓ આયોજન પ્રમુખ હાઈને મજૂર સંગઠનો સાથે એનો સુમેળ સાધવામાં ફાળો આપી રહ્યા છે. આમ, જવાહરલાલજી, વિનોબાજી, અનસૂયાબહેન, બેંકર અને નંદાજી સુધીને ગાંધી-વિચારમાં ફાળો છે; એમ ફળે છે. - પણ, આ બધી સંસ્થાઓને સત્ય અહિંસાની દૃષ્ટિએ મૂલવવાનું કામ, નવું સંસ્કરણ કરવાનું કામ, હજ કરવાનું બાકી રહે છે. વિનોબાજી માત્ર સૂચના અને વિચારો આપે છે. પણ તેને આકાર આપવા અંગે તેઓ ભાંજગડમાં પડતા નથી. ગાંધીજીનું એવું ન હતું. ગાંધીજીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust