Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 415
________________ 39 ગાંધીજી વખતે થયું નહોતું અને આજે પણ એ શકિત ઘડાઈ નથી. ગાંધીજીની સત્યાગ્રહી શક્તિ રાજકારણ અને રચનાત્મક બળ બનેને સત્ય-અહિંસા તરફ વાળવામાં વધારે વાર લાગી હતી. હવે સ્વરાજ્ય પછી ઊભા થતા પ્રશ્નોને સત્યાગ્રહની દૃષ્ટિએ ઉકેલવા શી રીતે ? આ કોયડે ઊભે છે? લોકશ્રદ્ધાનું જબરજસ્ત વાહન કરનાર અને સૌથી વિશેષ પવિત્ર જવાબદારીવાળા સાધુઓની શકિત રણની રેતીમાં નદીને પ્રવાહ સુકાઈ જાય અને રેતી ફેલાઈ જાય, એમ સાંપ્રદાયિકતાના રણમાં સુકાઈ જવા દેવી? એવી જ રીતે સત્યાગ્રહશક્તિ અને રચનાત્મક પ્રયોગની શકિતને વેરવિખેર થઈ જવા દેવી ? આ મહાન પ્રશ્નો રાષ્ટ્ર આગળ અને તેમાં પણ ખાસ કરીને સર્વોદય, વિશ્વવાત્સલ્ય અને કલ્યાણ રાજ્ય આગળ અણઉકેલ્યા ઊભા છે! એટલે અત્યારે વિશ્વ વાત્સલ્યની વિશેષ જવાબદારી-નવી જવાબદારી એ ઊભી થઈ છે કે તેણે એક બાજુથી પંડિત જવાહરલાલજીની શક્તિસુદ્રઢ બનાવવી, વિશ્વમાં એમની શકિત વધારેમાં વધારે કામ કરતી થાય એ રીતે મદદ કરવી. બીજી બાજુ વિનોબાજીના વિચારોથી જે પ્રયોગો એમના વડે કે રચનાત્મક કાર્યકરો વડે થાય છે એ પ્રયોગોને સંકલિત કરવા અને તેમને પ્રતિષ્ઠિત કરવા, તેમ જ એ લોકઘડતર કરી શકે, એવાં કામમાં મદદ કરવી. ત્રીજી બાજુ ઈકનું ક્ષેત્ર કેવળ શહેરે સુધી રહ્યું છે તેથી ગામડાં વેરવિખેર રહી ગયાં છે. ત્યાં એના કારણે ખેડૂતવસવાયા અને ખેડૂત ભરવાડે વચ્ચેના સંઘર્ષો વધ્યા છે. ખેડૂતો અને ભરવાડ વચ્ચે ઘણું ઠેકાણે મારામારી વધી છે. ખેડૂત અને ખેતમજૂરો વચ્ચે પણ ઘર્ષણ ઊભાં થયાં છે. બંનેને આજીવિકાની ચિંતા છે. ખેડૂતો પાસે આજીવિકાનું સાધન નબળું છે. વરસાદ સારો થાય તો પાક સારે ઊતરે. માંડ માંડ તેઓ રેટલો પૂરે કરે છે. બધી નહેર જનતા પાર પડ્યા પછી તેમની દશામાં શું સુધારો થશે, તે કહી શકાતું નથી. બીજી તરફ સરકાર સાધન હોવાના કારણે, મજૂર-વસવાયા વગેરેને પિતાની તરફ ખેંચી લે છે; અગર તો તેઓ સરકાર તરફ ખેંચાઈ જાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426