Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 401 - - સાધુવર્ગને માત્ર થોડી હંફની જરૂર છે. એમને અભય કરવાની એટલે કે ખાન-પાનની સગવડની નિશ્ચિતતા કરી દેવી, એ નથી, પણ તેમનામાં કષ્ટ સહેવાનું બળ વધારવું એ છે. એ ઉપરાંત સાધુસંસ્થા જે પદ્ધતિથી ટેવાયેલી છે તેમાં નવા વિચારો, પચાવવાની શક્તિ બહુજ ઓછી છે. એ ઉપરાંત પણ વિચારોનું પૃથક્કરણ અને મૂલ્યાંકન પણ જુજ સંખ્યામાં થાય છે. અધ્યાત્મની વાતને વેદાંતની સાથે તો કયારેક આચાર-વિચાર સાથે પણ વિચિત્ર રીતે જોડી દે છે. વહેવારને-સેવાને તેઓ ગૃહસ્થાશ્રમ સાથે જોડી દે છે. આમ વિચારનું . સ્પષ્ટબળ ન પાકતાં શંભુમેળા જેવું થઈ જાય છે. એવી જ સ્થિતિ સાહિત્ય સર્જનની છે. સાધુઓએ પુષ્કળ સાહિત્ય રચ્યું છે પણ તેનું વર્ગીકરણ કરવા જતાં તે મોટાભાગે ક્રિયાકાંડેની ચર્ચા, પરંપરાગત ગ્રથ ઉપરનાં ભા-પૂણુંઓ-ટીકાઓ, ખંડન-મંડન કે સ્વનિશ્ચિત તના તત્વજ્ઞાન ઉપર લખાયેલું મળશે. કેટલુંક તો ખોટી પ્રસિદ્ધિ માટે કશા પણ મૂલ્ય વગરનાં અશુદ્ધ પ્રતિકાવ્યોથી ભરપૂર છે. કથા સાહિત્યમાં સાધુ હોય તે મોક્ષે જતો, ગૃહસ્થ હેય તે દીક્ષા લેતે, ધર્મ હોય તે દેવલોક જતો અને અધર્મી હેય તો નરકે જતો નાયક વર્ણવાય છે. મનુષ્યભવની જે કિંમત શાસ્ત્રોમાં છે તે પ્રમાણે કોઈને મનુષ્યગતિ તરફ જતો બતાવાતો નથી. એવુંજ સાહિત્ય ક્રિયાકાંડનું છે જેમાં ચમત્કારોને જોડી દેવામાં આવે છે. આયંબિલ કરનાર અમૂક રાણું નાળિયેર વધેરે તે અચૂક રોગીને રોગ મટે, આવી સંબંધ અને સંદર્ભ વગરની વાતો રજુ કરવામાં આવે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં એકાદશી કે બીજા વ્રતના મહાત્મય સાથે દેવોના ચમત્કારને જોડી દેવામાં આવ્યા છે. આ બધાના કારણે સમાજને સાચે પુરૂષાર્થ–માનવને પુરૂષાર્થ દબાઈ 26 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust