Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 400 એ સિવાય ગામ તરફથી શહેરમાં લોકોને ધસારો વધી રહ્યો છે અને એણે પણ વિકટ પ્રશ્નો પેદા કર્યા છે. ગામડાંની ભોળી પ્રજાને ગમે તે. રીતે ગમે તે ઉશ્કેરી શકે છે. આ બધા ગ્રામજનોને સમજાવે કોણ ? જમીનની વહેચણીનું કામ અધુરૂ રહ્યું છે. એવી જ રીતે સંગઠનનું વ્યાપક કામ પણ હજુ બાકી જ છે. ભાલ-નળકાંઠામાં નાના પાયા ઉપર ખેડૂત-ગોપાલક-મજૂર મંડળ-(ગ્રામસંગઠનો) ઊભાં થયાં છે. એટલે વિશ્વવાત્સલ્ય વિચારધારાએ ખાસ એ કરવાનું છે કે ઈટુક અને ગ્રામસંગઠન –બને બળોને ભેગાં કરવાં અને ગ્રામસંગઠનની નૈતિક શક્તિ ઈટુકને મળે અને ઇન્દુકની જનશકિત ગ્રામસંગઠનને મળે એ રીતે બનેને મેળવવાનાં છે. તેથી બને શક્તિ એક બીજાને મળે અને આંતરરાષ્ટ્રિય મજૂર-કિસાન સંગઠન સાથે એમનો અનુબંધ થઈ શકે. સર્વોદય વિચાર ગ્રામઆયોજન. અને ક્ષેત્ર આયોજનની વાત મૂકે છે અને ક્ષેત્રનું ઘડતર ગ્રામલોકો દ્વારા જ થાય, એમ કહે છે, ત્યારે વિશ્વવાત્સલ્ય વિચાર સંસ્થાઓ દ્વારા ગ્રામ ઘડતરમાં માને છે. હવે સમગ્ર ગ્રામસંગઠન કેમ થાય ? એવી જ રીતે સમગ્ર ક્ષેત્ર સંગઠન કેમ કરવાં એ વિચારવાનું છે અને તેને વિશેષ પ્રયોગો દ્વારા, અનુભવો દ્વારા ઘાટ આપવાનું કામ પણ આપણે (વિશ્વ વાત્સલ્ય) કરવાનું છે. જે લોકો ધર્મની ભાષામાં સમજે તેમને તે ભાષામાં સમજાવીને વાત ગળે ઉતરાવવાની છે. એમાં વિમુખતા કે અલગતા જરાયે ન આવે તેની કાળજી રાખવાની છે. - એવી જ રીતે વિશ્વ વાત્સલ્યનો સાધુસંસ્થા તરફનો કાર્યક્રમ પણ કરે છે. સાધુસંસ્થાની હાલત ઘણી શોચનીય છે. તેઓ સંસાર છોડે છે એટલી જ સંપ્રદાયની આસક્તિ તેમને વળગી જાય છે. વિધવા બહેનને જેમ છોકરે જશે તો સંસાર તૂટી પડવાનો ભય ઊભો થાય છે, એમ સાધુ સન્યાસીઓના મનમાં ભય અને મૂઢતાના કારણે એક એવી મડાગાંઠ ઊભી થઈ છે. “અને સાચું કહેશું અગર તો કરવા જઇશું તે. સમાજ તરછોડી દેશે તો?” રહેવા-ખાવા-પીવાનું શું થશે ? આ ભયથી તેમને મુક્ત કરવાની જવાબદારી વિશ્વવાત્સલ્યની છે. . . ' P.P.AC. Gunratnasuri M.S.