Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ બાબતોથી દૂર જ રહેવું સારું છે. આ રાગદ્વેષ અને રિસામણીને પેદા કરે છે. એટલે ઉપવાસનું શસ્ત્ર, બોલવાનું શસ્ત્ર કે પ્રયોગ કરવાનું શસ્ત્ર વ્યાપકષ્ટિવાળા યોગ્ય પુરુષની દોરવણી. નીચે વપરાવવું જોઈએ; અને એ જ વાત શુદ્ધિપ્રાગને પણ લાગુ પડે છે. કદાચ યોગ્ય પુરુષ પણ કળ્યાં ક ભૂલ કરી બેસે તે પાંચ-પંદર શાણું, સમજુ અને તટસ્થ માણસનું અનુસંધાન તેની સાથે હોવું જોઈએ. વિશ્વવાત્સલ્ય વિચારની એ વિશેષ જવાબદારી છે કે તેણે અત્યારે કોંગ્રેસને સામાજિક ને આર્થિક ક્ષેત્રમાંથી મુક્ત કરી, માત્ર રાજકીય ક્ષેત્રે તે દેશમાં કામ કરે અને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રમાં યૂને સાથે અનુબંધ બાંધી તેને સત્ય-અહિંસાની દિશામાં કામ કરતી કરવા પૂરી મદદ આપે ! પણ કોગ્રેસ સુધી આજે વિશ્વવાત્સલ્યને અનુબંધ વિચાર પહેચતો લાગતો નથી. એટલે ત્યાં સુધી તેણે સાધુ-સંકલના કરવાનું અને સર્વસેવાસંધને પ્રતિષ્ઠિત કરવાનું કામ આ વિચાર ધારા કરવાનું છે. તેથી શકિત વધતાં કોંગ્રેસને પુષ્ટિ શુદ્ધિ અને પ્રેરણા આપવાની વાત ગળે ઉતરશે તે, આ ત્રણે બળ–સર્વોદય, વિશ્વવાત્સલ્ય અને કલ્યાણરાજ્ય (કોંગ્રેસ) દ્વારા જબરું કામ થશે. એટલે અનુબંધ સર્વાગી લેવો જરૂરી છે. ત્યારબાદ ઈન્દુક સાથે જે અનુબંધ છે, તેના વડે આંતરરાષ્ટ્રિય શ્રમિક સંગઠન સુધી પહોંચવાની અને ઈન્દુમાં નૈતિક મૂડી પૂરવાનું કામ થવું જોઈએ. અત્યારે વિશ્વ વાત્સલ્યના અનુયાયીઓ દ્વારા શુદ્ધિ પ્રયોગ અને સાધુ સંકલના-એ બે જરૂરી કામ કરવાનાં છે. આ પછી ક્રમે ક્રમે આખું કામ ગોઠવાઈ જાય અને અનુબંધ વિચારની વાત સારી છે. Jun Gun Aaradhak Trust