Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 420
________________ 404 ફ' જો આમ થયું તે માનવજાતિને વિનાશના મુખમાં ધકેલાઈ જવાને સંપૂર્ણ ખતરે છે. કારણકે જીવનમાં કોઈપણ ક્ષેત્રે ધર્મ અને નીતિનું નિયંત્રણ ન રહેતાં સહુ પોતાના સ્વાર્થ માટે બીજાનું નિકંદન કાઢવાના આરે આવીને ઊભા રહેશે. - સાધુ સંસ્થા માટે ઉપર જણાવેલા બે ભયમાંથી, સામ્યવાદને ભય તો માથા ઉપર જ છે. તેને તાજો દાખલો તિબેટનો છે. ત્યાં દલાઈ લામાં સામ્યવાદને અનુકૂળ ન થયા તે કાં તો તેમને ખતમ થઈ જવાનું હતું પણ તેઓ નિર્વાસિત થયા. ચમત્કાર ઉપર જીવનારા 50-60 હજાર લામાઓને, ઠેકડી ઉડાડી, સડકો ઉપર રીબાવી કરપીણ રીતે મારી નાખવામાં આવ્યા. પંચનલામાં સામ્યવાદને અનુકુળ થયા એટલે જીગ્યા પણ, તે સતત ભય અને નિયંત્રણ વચ્ચે જ રહે છે. જેમ જેમ વિજ્ઞાન અને યંત્રવાદ (Technology)ને અભ્યાસ વધી રહ્યું છે. તેમ તેમ શિક્ષિત માનસ ધર્મ અને ધર્મગુરુની શ્રદ્ધાથી અલગ થઈ રહ્યો છે અને સમાજશ્રદ્ધા ડહોળાઈ જવાનો ભય પણ એ જ રીતે ડકિયાં કરતે ઉભે છે. માટે સાધુસંસ્થાએ સમયસર ચેતીને ચાલવાની ઘણું અગત્ય છે. આ ભયથી ઉગરવા માટે સાધુઓએ નિર્ભય થવું પડશે અને ભેગા મળી એક વ્યાસપીઠ ઉપર બેસીને યુગધર્મને વિચાર કરવો પડશે. | વિશ્વ વાત્સલ્ય વિચારની એક જવાબદારી તરીકે તેના અગ્રદૂત મુનિશ્રી સંતબાલજી સાધુઓની શકિતને બહાર લાવવાની પિતાની જવાબદારી પાર પાડે છે અને એ વિચારના સાથીઓને સહયોગ લે છે. તેમજ બીજી બાજુ સાધુઓમાં અને ગૃહસ્થોમાં જે તપ-શકિત પડી છે તેને અન્યાય, અત્યાચાર અને અનિષ્ટોને નિવારવામાં બહાર લાવવા માગે છે. આ પ્રયોગને મુનિશ્રી સંતબાલજી શુદ્ધિપ્રયોગ કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426