Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 413
________________ 37 1942 માં કહ્યું કે : “ખાદી ન મળે તો રેંટિયા બાળી નાખવા જોઈએ !એમ એમનું ચોથું સ્વરૂપ ખડા સત્યાગ્રહીરૂપે–શાંતિ સૈનિક તરીકે ગાંધીજી વખતે દેખાતું. દારૂ તાડીના પીઠા ઉપર પીકેટિંગ કરનારૂ સત્યાગ્રહી બળ, જાલિમ સામે રૂધિર આપીને સામને કરનારૂં અગ ધીમે ધીમે કરમાઈ ગયું છે. એ કરમાઈ જવામાં બે વસ્તુઓ કારણભૂત બની છે. એક તો એ કે તે વખતે તેની શકિત પરદેશી રાજ્ય સામે લડવામાં, તેને કાઢવામાં એક પ્રતિકારક શક્તિ તરીકે લગાડવામાં આવી હતી. તે એક ઠંડી તાકાતરૂપ હતી. આજે તે દર પાંચ વર્ષે આવતા ચૂંટણી-જંગમાં ખર્ચાય છે. બીજી વાત તે વખતે તે પોલિસો, જાસો, આદિવાસીઓ વગેરે બધા વચ્ચે સત્ય-અહિંસાને પ્રયોગ કરવાની વાત ગાંધીજીએ કરી તેને સાકાર આપવાનું કામ બાકી રહી ગયું છે. એટલે સ્વરાજ્ય પછી (ધાર્યા કરતાં વહેલું સ્વરાજ્ય આવી જતાં) એ સવાલ ઊઠો કે વિદ્યાપીઠ, આશ્રમ, ચરખાસંધ, નઈતાલીમ સંધ વગેરેને ઘાટે કેમ અને કેવી રીતે આપવો ? ગાંધીજી વખતે રચનાત્મક કાર્યકરોની ઝંખના પ્રયોગ કરવાની હતી, પણ પરદેશી સત્તા અને જાસુસીની જાળ હોઈને, એ બધા ઉપર પ્રતિબંધ હોવાથી તેને આકાર આપવાની ઝંખના પૂરી ન થઈ શકી. સ્વરાજ્ય પછી એ ઝંખનાને પૂરી કરવા માટે એ તાકાત જુદા જુદા પ્રયોગો કરવામાં રોકાઈ ગઈ. જુગતરામભાઈ નારાયણદાસકાકા, મગનભાઈ શિવાભાઈ વગેરેની શકિત, જુદી જુદી સંસ્થામાં પ્રયોગ કરવામાં, ગુજરાતમાં પ્રયોગ કરવામાં લાગી. એવી જ રીતે બીજા પ્રાંતોનાં રચનાત્મક બળની શક્તિ પણ પ્રયોગમાં લાગી. પ્રયોગાત્મક વસ્તુ એકાગ્રતા માગે છે. પ્રગમાં આ બધાઓ એકાગ્ર થતાં, દેશની ભાવાત્મક એકતા તરફ ધ્યાન ન આપી શકાયું અને તેને ન ગોઠવી શકાણી. ભાવાત્મક એકતા વગર સત્યાગ્રહી શક્તિ ઊભી ન થઈ શકે. આ એક બીજું કારણ પણ એ ઠંડી તાકાત ઓછી થઈ જવાનું છે. ' P.P. Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426