Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 395 . સ્વીકારી અને અપનાવી લીધા છે, એમ નથી. કેટલાક તેમને શિરસ્તો પાળે છે; કેટલાક વિરોધી છે. કેટલાક સમર્થક છે. પંડિતજી કોંગ્રેસ દ્વારા વિશ્વશાંતિ માટે નિઃશસ્ત્રીકરણની વાત વિશ્વમાં મૂકવા માગે છે. એ ગાંધીવિચારનું એક બળ છે. ગાંધી વિચારનું બીજું બળ છે વિનોબાજી. ગાંધીજીએ તેમને પ્રથમ સત્યાગ્રહી તરીકે પસંદ કર્યા હતા. રચનાત્મક કાર્યકરો તથા સંસ્થાઓ એમને અનુસરે છે. તેઓ બધાની આગળ પોતાની વાત મૂકે છે અને બધી જ બાબતોમાં રચનાત્મક કાર્યકરે તેમને માને છે એવું નથી. પણ, એટલું ખરું કે એમની વાતને જ—એમના અભિપ્રાયને આધારભૂત માનીને તેઓ ચાલે છે. એમણે ગાંધીજીના અવસાન પછી, લગભગ બધી જ રચનાત્મક સંસ્થાઓની સંકલન કરી સર્વ સેવાસંઘ સ્થા. સર્વસેવા સંઘ ગાંધીજીના વિચારોને ઝીલનારૂં બળ છે. . ચરખાસંઘે ખાદી ગ્રામોદ્યોગ બેડમાં સમાઈ જવું જોઈએ એવો વિનોબાજીનો અભિપ્રાય સ્વીકારાય અને ચરખાસંઘ તથા ખાદી, ગ્રામોદ્યોગ બોર્ડ એક બની ગયાં. ગાંધીજી પછી રાજકીય ક્ષેત્રે તેમના વારસદાર તરીકે પંડિત જવાહરલાલ નેહરૂને ગણી શકાય તો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે તે સ્થાન વિનોબાજીનું છે, એ સ્વીકારાયેલું સત્ય છે. અંબર ચરખાની શોધ થઈ ત્યારે વિનોબાજીને પૂછવામાં આવ્યું કે અંબર ચરખાને સ્વીકારો કે નહીં? ત્યારે એમણે કહ્યું : “અબર તો અવતાર છે એને અવગણે ચાલશે નહીં ! " એટલે ચરખાસંઘે અંબર ચરખાને સ્વીકાર્યો અને તેણે કાંતણની દિશામાં માનવની આર્થિક સ્થિતિનો સુધારો કર્યો. એટલું જ નહીં પાકિસ્તાન જેવાએ પણ તેને અપનાવ્યો છે. અ. ભા. ખાદી ગ્રામોદ્યોગ બેડે એમાં અવનવી શોધ કરી. નઈ તાલીમ ને નવું વરૂપ શું આપવું તે માટે આશાદેવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust