Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 409
________________ શક્તિઓ અને કાર્યો સાચવી રાખ્યાં છે, તે છોડવા પડશે. રાજ્ય જાતે ન છેડે તે તેની પાસેથી તે બધું છોડાવવું પડશે. આ માટે આપણે નજર, ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ તરફ જાય છે. જો કે તેઓમાં પણ આજના વિશાળ જગતમાં અનુબંધ વિચારધારાની રીતે પાયાથી કામ કરવું અશક્ય થઈ પડશે. પરંતુ બાપુએ જે થોડા દેશસેવકો અને રચનાત્મક કાર્યકરે આપ્યા છે તે સૌએ ભેગા મળીને જેમ બાપુ વખતે આહુતિઓ આપેલી, તેમ આપી, કલ્યાણરાજ્ય, સર્વોદય અને વિશ્વ વાત્સલ્યનો સમન્વય સાધવો પડશે. આ જ અનુબંધ વિચારધારાનું મૂળ રહસ્ય છે. સર્વોદય અને વિશ્વાત્સલ્યના સાધકોએ રાજ્ય પાસેથી સ્વેચ્છાએ કે સ્વેચ્છા વગર પણ આર્થિક, સામાજિક શિક્ષણ-સંસ્કૃતિના કાર્યક્રમો લઈ લેવા પડશે. તેમજ રાજ્ય બાકીનું બરાબર સંભાળી શકશે.” શ્રી સુંદરલાલ : “જેમ બાળકની પાસેથી રમકડું આપીને જ ચપ્પ લઈ શકાય છે તેમ કલ્યાણરાજ્યને આંતરરાષ્ટ્રિય કાર્યક્રમો આપીને જ તેની પાસેથી રાજકીય સિવાયના બધા કાર્યક્રમો લઈ શકશે.” - શ્રી દેવજીભાઈ : એટલા માટે તો આપણે ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓ અને સર્વાગી રચનાત્મક કાર્યકરોના સંયુક્ત પ્રયાસ ઉપર મીંટ માંડીએ છીએ. આજે આવા ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓને સમાજે સર્વપ્રથમ જગાડવાં પડશે. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426