Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 32 ચર્ચા-વિચારણા તત્વજ્ઞાનથી માનવતા - શ્રી દેવજીભાઈઃ “રાજ્ય હાથ લંબાવી રહ્યું છે; સમાજને : ભીડે લઈ રહ્યું છે. આ વાતથી આજના વિદ્વાન ગણાતા સાધુ-સાધ્વીઓ પણ અજાણ હોય છે એવું મને લાગે છે. હું માંગામાં એક મુનિજીના પ્રવચનમાં ગયેલો. તેમણે પિતાના પ્રવચનમાં ન્યાયસંપન્ન આજીવિકા ઉપર ભાર મૂક્યો હતો. મને એ ગમ્યું. પણ મેં જ્યારે એમને પૂછયું : “આવો આચાર કઈ રીતે સમાજમાં ધડ " ત્યારે તેઓ જવાબ ન આપી શક્યા. અલબત્ત સાધુ સાધ્વીઓ પ્રત્યે મને પૂરૂં માને છે. મને વિશ્વાસ છે કે તેઓ ક્રાંતિ કરી શકે છે પણ તેમની આસપાસનું વર્તુળ “જી હજુરીયાઓ ”નું અથવા રૂઢિચુસ્તોનું છે. ' એ વાડામાંથી તેઓ બહાર આવી શકતા નથી. સમાજ પોતે તો પરાધીન છે. મુનિવરોમાં એક પરિવર્તન જેવા મળે છે અને તે આશાજનક છે કે કોરી તત્ત્વજ્ઞાનની વાતો ઉપરથી તેઓ માનવતા ઉપર આવ્યા છે. તો જગતના પ્રવાહને ખ્યાલ આવતાં, અને નૈતિક હિમ્મત આવતાં જરૂર કાર્ય થશે. રાજ્ય પાસેથી બીજી જવાબદારીઓ દૂર કરાવવી જ રહી શ્રી પૂજાભાઈ : “સ્વરાજ્ય બાદ શરૂઆતમાં સેવકોથી અમલદાર ડરતા હતા પણ તેઓ સેવકોની નબળાઈઓ જોઈ ગયા અને પછી આ બધું ચાલ્યું. જ્યારે અમલદારો સાથે રાજકીય સંસ્થાના માણસો કોયડા ગૂંથવા અને ઉકેલવામાં પડી જાય છે ત્યારે તો ભારે ગ્લાનિ થાય છે. કેટલાક આ કોયડાથી અલગ રહ્યા છે ખરા, પણ એમને આનંદ થવાના બદલે ઓરતો તો થાય છે : “બીજા આગળ ગયા અને અમો રહી ગયા !" એટલે કલ્યાણકારીરાજ્ય, પિતાની અને પિતાના પક્ષની પાસે જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust