Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 390 નાનાં નાનાં ઘટકો બનાવો. તેઓજ પિતાની આર્થિક, સામાજિક અને તેજ રીતે શિક્ષણ-સંસ્કૃતિ અંગેની નીતિ ઘડશે. જેવા જેવા પ્રદેશો તેવી તેવી નીતિ બનાવાશે.” અનુબંધ વિચારધારા પ્રમાણે નાનામાં નાનું ઘટક પાંચ લાખનું એકમ હશે. એટલે કોમવાદી, મૂડીવાદી કે રાષ્ટ્ર વિધાતી તો તેમાં આવી શકશે નહીં. એથી રાષ્ટ્રીય એકતા સારી પેઠે જળવાશે. આજે તાલુક વાર ઘટકો છે; સ્વતંત્ર મામલતદાર છે પણ ઠેઠ ગ્રામપંચાયત લગીનું આખું માળખું તપાસવા જતાં તે કઠપૂતળાંની માફક ઉપરના જ હાથા રૂપ છે. એથી એ વિકેદ્રીકરણ પણ અંતે તો પરાધીન જ છે; અને યંત્ર માફક શાસન હેય બોજારૂપે બની જાય છે. સર્વોદય અને તેથી પણ એક ડગલું આગળ વધેલું વિશ્વ વાત્સલ્ય (અનુબંધ વિચારધારા), વિનોબાજીના શબ્દોમાં કહીએ તો એક પારિવારિક ભાવના–ભાવનાત્મક એકતા રચે છે; વિશ્વ વાત્સલ્ય ફેલાવે છે. એથી જ રાજ્યને ગૌણ બનાવી, નૈતિક પાયા પરનાં જનસંગઠનને વિશ્વવાત્સલ્યમાં મહત્વ આપવામાં આવેલ છે. - પ્રશ્ન એ છે કે આવા સંગઠનો કરશે કોણ? સાધુચરિત સાધકસાધિકાઓ (લોકસેવક-સેવિકાઓ) અને એમનાં પણ માર્ગદર્શક એવા ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ મળીને આ બધું કરશે ! રાજ્ય તો ત્યારબાદ કેવળ આંતરરાષ્ટ્રીય બાબતોને જ વધારે વિચારશે અને મોટી મોટી રીતે કામ કરશે. બાકી આખા દેશનો આંતરિક વહીવટ આવાં સંગઠનોનાં હાથમાં હશે. આજે નાભિ ભલે સંતોના હાથમાં હોય (એટલે કે ધર્મ સંસ્કૃતિ હાથમાં હેય) પણું ગળું તો રાજ્યના હાથમાં આવી પડયું . છે. તેથી નાભિને-સંતોને અવાજ ભલે ગમે તેટલો મોટો હેય પણ ગળાં–રાજ્ય આગળ તે રૂંધાઈ જાય છે. આમાં સદ્ભાગ્યે કોંગ્રેસ એક એવું રાજકીય બળ છે કે ગાંધી જેવા મહાન સદ્દગત રાષ્ટ્રપિતાને લીધે આ દિશામાં સાચાં વિકેન્દ્રીકરણ તરફ જઈ શકે તેમ છે. પણ તેમ થતું નથી કારણકે ખુદ કોંગ્રેસમાં જે પક્ષ આજે સત્તા ઉપર છે; તે પક્ષના માણસો; જાતે કોંગ્રેસી હોવા P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust