Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 35 સાપના રાફડા પાસે જઈને, તેના દંશપ્રહારને બદલે તેને પ્રતિબંધ આપી, વિશ્વ વાત્સલ્યની પૂર્ણ સાધના કરી હતી. જ્યારે સમાજ વાત્સલ્યને વિકાસ વિશ્વવાત્સલ્યની સાધનામાં પરિણમે છે ત્યારે સાધક માટે કોઈ પારકાં રહેતાં નથી. સર્વ ધર્મો, દશે, જાતિઓ, કુટુંબો અને પ્રાણી માત્રને વિશ્વ વાત્સલ્યમાં સમાવેશ થઈ જાય છે. દરેક ધર્મ સ્થાપકે પિતાપિતાના ઠેકાણે જે કરયાણને પ્રવાહ વહેવડાવ્યો છે તેને તે લાભ લે છે, જનતાને આપે છે. તે કોઈની સાથે ખરાબ વહેવાર કરશે નહીં કારણ કે આખું વિશ્વ તેનું કુટુંબ હોઈ “વસુવ કુટુંબકમ” પ્રમાણે તે વર્તશે. જેમ ઘરના માણસો પિતાના હેઈ, કુટુંબમાં માણસ કોઈની સાથે અસત્ય, હિંસા, ચેરી, વ્યભિચાર કે અસમાનતાને વહેવાર કરતો નથી તેવી જ રીતે વિશ્વવાત્સલયના સાધક આખા વિશ્વ કુટુંબ સાથે સદ્દવહેવાર જ કરશે. આ વિશ્વવાસલ્યનું ધ્યેય છે અને તેને સિદ્ધ કરવાનું છે. અત્યારે કેટલું સિદ્ધ થશે તેનો વિચાર કરવાનો નથી; પણ આદર્શ તો હમેશાં ઊંચો રાખવાને રહ્યો. હિમાલયની તળેટીમાં રહેનાર, હિમાલયે જવાને આદર્શ ખે તો જ તે એક દિવસ ત્યાં પહેચી શકે છે. જૈન ધર્મમાં એક વસ્તુ બતાવવામાં આવી છે કે જેને સમ્યગદર્શન થયું તેને મોક્ષ ધીમી ગતિએ પણ અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળમાં નક્કી થઈ જાય છે. ગૃહસ્થ, વાનપ્રસ્થી અને પડિમાધારી શ્રાવક પણ વિશ્વ વાત્સલ્યનાં લક્ષ્ય સુધી જઈ શકે છે તેમ જ મોક્ષ પામી શકે છે. સાધુ સન્યાસીઓ માટે આ લક્ષ્ય મેળવવું સુલભ છે. જ્યાં સુધી ખેતીની શોધ નહોતી થઈ, ત્યાં સુધી વનમાં રહેતા ગડષિ મુનિઓ પિતાને જીવન-નિર્વાહ ઝાડે પાકેલાં ખરી પડેલાં ફળો કે ગોપાલન કરી તેના દૂધ ઉપર કરતા. કાચાં અને ઝાડ ઉપરનાં ફળો ન તોડવા કે બીજી જીવ હિંસા ન કરવી એ તેમને વિશિષ્ટ ઉદ્દેશ્ય હતે. જેનું ધ્યેય વિધવાત્સલ્યની સાધના હતી. વૈશેષિક દર્શનના પ્રવર્તક કણાદ ઋષિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust