Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 181 * . કૃષ્ણ, રામ અને શિવને માનનારા લોકે જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રિ કે એકાદશીના વ્રત કરે છે પણ બીજીબાજુ ઉપવાસ હોવા છતાં જુગાર પણ રમવા બેસી જાય છે. એટલું જ નહીં નિર્જળઉપવાસમાં બીજું ખાવું-પીવું વધી ગયું છે. વૈદિક ધાર્મિક પર્વોમાં પણ ખાવા-પીવા અને પહેરવા ઓઢવાનું જાણે થઈ ગયું છે. આમ વ્રત અને નીતિનો સુમેળ ન થતાં તે હાસ્યાસ્પદ બને છે. ધર્મ કેને કહેવો? પૂ. દંડી સ્વામીએ લોકો પુણ્ય અને ધર્મને ભેદ સમજતા નથી તે અંગે જણાવતાં કહ્યું: “મનુસ્મૃતિમાં કહેલા પાંચ મહાયજ્ઞ –જે પાછળથી બૌદ્ધ ધર્મની અસરના કારણે પાંચ લઘુયો કહેવાયા. –તે બધાને લોકો ધર્મ કહે છે. પૂર્વમીમાંસામાં પણ જે કર્મો કહ્યાં છે તે બધાંને લોકો ધર્મ તરીકે ઓળખે છે. બૌદ્ધ ધર્મમાં (1) દાન, (2) અર્થ, (3). દિનચર્યા અને (4) સમભાવને–કર્મો કહ્યાં છે તેને પણ લોકો ધર્મ માને છે. આથી ધર્મ કર્યો અને પુણ્ય કયું? એ સમજવામાં મુશ્કેલી પડે છે, અને કેટલીકવાર પુણ્યને ધર્મમાં ગણવાને ગોટાળો થાય છે. એ વિષે અહીં ઠીક ઠીક જાણવા મળ્યું કે પુણ્ય અને ધર્મ બંને શું છે ? વ્રતોને આત્મા! શ્રી દેવજીભાઈ કહે : વિશ્વવાત્સલ્યની આચારનિષ્ઠામાં નીતિનિષ્ઠા સોનારૂપ છે અને ધર્મનિષ્ઠા સોનામાં સુગંધ રૂપ છે. માત્ર સુગંધ હેય તો તે લાંબો કાળ ન ટકે એટલે કે તેમાં પ્રાણ જોઈએ. નીતિનિષ્ઠા હેય તે ધર્મનિષ્ઠ સહેજે વર્ણવાને સંભવ રહે છે; પણ નીતિનિષ્ઠા ન હોય અને વ્રત લેવાય તે કેટલીકવાર તે પ્રદર્શન રૂપ જ બની જાય છે, અને તેમાં આત્મા ભળતો નથી. નીતિનિષ્ઠાવાળા જાહેરમાં વ્રત લે તે બે કારણોસર સારું છે કે, P.P. Ac. Gynratnasuri M.S. Jun Gun Aaradhak Trust