Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ [9] વિશ્વવાત્સલ્યમાં વ્રત–વિચાર '[18-9-61] મુનિ નેમિચંદ્રજી આ અગાઉ વિશ્વવાત્સલ્યની ધર્મનિષ્ઠા ઉપર વિચાર કરવામાં આવ્યો છે. નીતિનિષ્ઠા સાથે વ્રતનિષ્ઠા ત્યારે જ ટકી શકે જ્યારે આ બધાં વ્રતોનું વિવેકપૂર્ણ જ્ઞાન હોય તેમ જ યુગને અનુકૂળ ધર્મ પુષ્ટિની દષ્ટિએ તેને નવો વળાંક અપાય. વતાચરણની જરૂર તો વ્યક્તિ તેમ જે સમાજના ઘડતર માટે રહેલી જ છે એ અંગે લંબાણથી વિચાર થઈ ચૂકયા છે. અહીં વિશ્વ વાત્સલ્યનાં વ્રતો ક્યાં ? તે વ્રતોનું મૂળ શું? એની ગોઠવણીને ક્રમ શું ? એ અંગે વિચાર કરવાને છે. આ બધા વ્રતનું મૂળ વિશ્વ વાત્સલ્ય છે. મૂળ વત તરીકે પણ વિશ્વ વાત્સલ્યને સ્થાન આપવામાં આવેલ છે. એનું મુખ્ય કારણ તો એ છે કે બધા ધર્મો તેમ જ બધી વિચારધારાઓ વિશ્વવાત્સલ્યની વાતો કરવા છતાં જોવામાં આવે છે કે અપવાદને બાદ કરતાં; એ ધર્મ-સંપ્રદાયો કે પથમાં વિશ્વ વાત્સલ્ય વાતો રૂપે જરૂર રહે છે; પણ આચરણમાં તે આવતું નથી. જ્યાં સુધી એને વ્રત તરીકે સ્થાન આપવામાં ન આવે ત્યાં સુધી તે મુજબનું આચરણ શક્ય બનતું નથી. એટલે વિશ્વ વાત્સલ્યને જ મૂળ વ્રત તરીકે રાખવામાં આવ્યું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust