Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 334 પહેલો કાર્યક્રમ હતો. અને એ કાર્યક્રમમાં બાપુના જીવન પથને અનુસરનાર અને સ્વીકારનાર સર્વોદય વિચારના સાધુ કહેવાયા. શ્રી રવિશંકર મહારાજ આ માર્ગે આવ્યા, ત્યારે તેમની પત્ની કહેવા લાગી : “આ ખેતી અને બાળબચ્ચાનું શું થશે ?" પણ તેઓ પ્રભુ ભરોસે છોડીને ચાલી નીકળ્યા. સ્વામી આનંદ હિમાલયમાં રહેતા હતા, પણ બાપુની સ્વરાજ્યની હાકલ સાંભળીને તે ત્યાંથી આશ્રમમાં આવી ગયા. કેદારનાથજી હિમાલયમાં યોગ સાધના કરતા હતા; તે બાપુના કાર્યયોગમાં જોડાવા ગૃહસ્થનાં કપડાં પહેરીને આવી ગયા. કિશોરલાલ મશરૂવાળા અને ગોમતી બહેન પરણેલા હોવા છતાં અપરિગ્રહ વ્રત લઈને બાપુના કાર્યમાં પરોવાયા. વિનોબાજી બ્રહ્મચારી રહ્યા અને અપરિગ્રહી થઈ બાપુ પાસે રહ્યા. બાપુએ નવાયુગના સાધુઓની આ એક ફાળ ઊભી કરી. પિતાનું સર્વસ્વ મૂકીને બાપુના સત્યના વિચારને સમજવા માટે બાપુ પાસે જુદા જુદા માણસે આવ્યા. મામા સાહેબ ફડકેએ આદિવાસી જીવનના ઉત્થાન માટે પિતાનું જીવન ગાળ્યું. ઠક્કરબાપાએ પણ હરિજન અને પછાતવર્ગ માટે જીવનનું ઉત્સર્પણ કરી નાખ્યું. રવિશંકર મહારાજ જેવા આજે નજરે પડતા એ પૈકીના એક સંતપુરૂષ છે. આમ ભારતમાં ઘણુ નવયુગના સાધુચરિત પુરૂષે ગાંધીજીના નિમિત્તે પાક્યા છે. ' બીજે કાર્યક્રમ : મહાત્મા ગાંધીજીએ સાધકો માટે બીજે કાર્યક્રમ મૂક્યો તે સાધકો માટે વ્રતમય જીવન ગાળવા આશ્રમો અને શિક્ષણ સંસ્થાઓ ઊભી કરવી. અહિંસાથી માંડીને નમ્રતા સુધીના 11 વ્રતો સહિયારાં જીવનથી જ આવી શકે. એક દિવસમાં કે માત્ર બોલી જવાથી આ ગુણે આવી જતા નથી. બાપુએ આશ્રમ સ્થાપ્યો તેથી તેમણે પોતાનું અને વ્રતબદ્ધ જીવન ગાળનારા સાધકોનું જીવન - ઘડતર કર્યું. જુગતરામભાઈએ શિક્ષણ સંસ્થા રૂપ આશ્રમ સ્થાપ્યો અને સમજણપૂર્વકનું વ્રતમય જીવન - ઘડતર કર્યું. આ સંસ્થાઓ દ્રતોને 'પોષક બની. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust