Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 388
________________ ૩૭ર તથા નૈતિક અશુદ્ધ પી. તો તે છે પૂરું પ્રજા–ઘડતર થશે નહીં; તેમજ અશુદ્ધ પડી રહેલી કે બની જતી રાજ્યશકિત પ્રજાની તથા નૈતિકતાની શક્તિ ઉપર ચડી બેસશે. આમ થશે તો થોડી વિભૂતિઓ ચાહે ગમે તેટલી મહાન હેય, તે યે આજના જગતપ્રવાહમાં તેમનાથી કોઈ અસરકારક કે નકકર કામ બની શકશે નહીં. આ વાત ધીરે ધીરે વિનોબાજીને સમજાતી જતી હોય અથવા કુદરતના દબાણને લીધે થતું હોય તેમ લાગે છે. વિશ્વ વાત્સલ્યની અનુબંધ વિચારધારા જે મૂળ વાત કહે છે તે ભાગે સર્વોદયી કાર્યકરોને આવવું પડતું હોય અને તેનું સ્વરૂપ બદલાતું જતું હોય તેમ લાગે છે. વિનોબાજીને વેલવાલમાં મળેલી દેશની સર્વપક્ષીય પરિષદ ઉપરથી કંઈક આશા બંધાયેલી કે નક્કર પરિણામ આશે. એમણે રાષ્ટ્રિય એકતા માટે રાષ્ટ્રીય એકતા પરિષદનું નામ સૂચવ્યું હતું. રાષ્ટ્રવિકાસનાં કાર્યો, સમગ્ર દેશમાં છે, માટે એવી બાબતોમાં જુદાઈ ન હોવી જોઈએ. તે અંગે પ્રાંત, ભાષા, કેમ વગેરેના ઝઘડા ન હોવા જોઈએ. મતભેદો ભલે હોય પણ મન ભેદ ન હોવા જોઈએ. આ માટે તેમણે શ્રી ઢેબર અને શ્રી જયપ્રકાશને નીમ્યા. ત્યારે શ્રી મોરારજીભાઈ જેવા અગ્રણી નેતાઓને આ વિચાર સ્વીકાર કરવામાં થોભ થત હતો; કારણ કે મહાગુજરાત અને સંયુક્ત મહારાષ્ટ્રની લડતમાં સર્વોદયી કાર્યકરે જે રીતે વર્યા હતા; ગોળીબારને જે એ તેમણે વિરોધ કર્યો હતો અને સર્વોદયી કાર્યક્રમોમાં પક્ષોના શંભુ મેળાને જે રીતે મેદાન મળ્યું હતું તે બધું જોઈને લાગી આવે એ સ્વાભાવિક હતું. ગુજરાતમાં વિનોબાજી આવ્યા ત્યારે શ્રી નારાયણ દેસાઈ વગેરેએ જે વહેવાર કર્યો અને ઢેબર, જશુ મહેતા વગેરે બધાને બીજા પક્ષના માણસો જેવા ગણીને તેમણે જે રીતે વર્તન ચલાવ્યું તે ઉપરથી લાગ્યું કે આ છોકરડાં છે અને સંત વિનેબાજી આવી છોકરબાજી ચલાવી લે છે. એટલે શ્રી ઢેબરને પણ મુશ્કેલી લાગી કારણ કે આવા અપરિપકવ બળ સાથે પાનાં પાડવાં બરાબર નથી. ટૂંકમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426