Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 382 હવે એક બીજી વાત આવી. બે માણસો વચ્ચે તકરાર થાય. અને બન્ને કહેતા હોય કે “આ મકાનને અધિકાર મારે છે!” અને બને માલિક થવા માંગતા હોય તથા એમ થાય કે એકબીજા ઉપર આક્રમણ કરશે ત્યારે ત્યાં રક્ષણનો પ્રશ્ન રહેતો નથી. એ સવાલ ઊભો થાય છે ન્યાયને. ત્યાં કયા માણસની પડખે ન્યાય છે? કોણ અન્યાયી છે? કયા માણસે દુર્બળ ઉપર આક્રમણ કર્યું છે? કોના ન્યાયની રક્ષા કરવી ? આ બધા પ્રશ્નો ઊભા થતાં ન્યાય આવ્યો. ન્યાય કરવા માટે ન્યાયાધીશ, કાજી વગેરે આવ્યા. ન્યાયાલય થયા અને ન્યાયવિધા-વિશારદ (વકીલો) ઊભા કરવામાં આવ્યા. આમ રાજ્યનું પહેલું કામ રક્ષણ અને બીજું કામ ન્યાયનું થયું., ' પણ, ગુનેગારને જે ન્યાય અપાયો-ચુકાદો અપાયો. તેને તે ન ભાને અગર તો ન પાળે તો? એની પણ વ્યવસ્થા થવી જોઈએ. અગાઉ વિશ્વ રાષ્ટ્રની “લીગ ઓફ નેશન્સ” નામક સંસ્થા હતી પણ તેનો ચુકાદો કોઈ ભાનતું નહીં. એટલે “યૂન ”ની સ્થાપના કરવાની ફરજ પડી અને તેને ક્રિયાત્મક સત્તાઓ આપવામાં આવી. એટલે ન્યાય ને બળપૂર્વક પણ બનાવી શકે, ન્યાયનું ઉલ્લંઘન કોઈ ન કરી શકે તે માટે પોલિસ રાખવાની છૂટ આપવામાં આવી અને સાથોસાથ કાયદા કાનૂન પણ બનાવવામાં આવ્યા. જેથી કોઈ પણ ન્યાયાધીશ કે બીજા (વકીલો) પક્ષપાત ન કરી શકે. આમ કાયદા-કાનૂન અને પિોલિસ બંદોબસ્ત આવ્યાં. રાજ્યદ્વારા રક્ષણ, ન્યાન, કાયદા-કાનૂન અને પોલિસ બંદોબસ્ત આ બધા માટે મોટું ખર્ચ થાય, તે ક્યાંથી કાઢવું? એ પ્રશ્નના ઉકેલ માટે રેવેન્યુ (મહેસુલ) ખાતું ઊભું થયું. ન્યાય, રક્ષણ અને કાયદે રાજ્ય જાળવે તેના બદલે પ્રજા રાજ્યને કરવેરા રૂપે મહેસુલ ભરે અને રાજ્ય તે કાર્યો ચલાવે. કરવેરાના પણ જુદા જુદા ધોરણો નકકી કરવામાં આવ્યા કે દરેક વીઘા દીઠ દરેક મકાન દીઠ, દરેક વ્યક્તિ દીઠ આટઆટલા કરવેરા આપવા. આમ રાજ્યનાં ચાર કામ નકકી થયાં - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust