Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 374 વિનેબાજીની પણ કોંગ્રેસના રૂપાંતરની ઈચ્છા પાર પડી નથી. આ બધું બહુ બહુ સૂચક છે. , . . . . વિનેબાજી પરિવર્તનની ચાર પ્રક્રિયાઓ બતાવે છે : (1) હૃદય પરિવર્તન (2) વિચાર પરિવર્તન (3) નૈતિક પરિવર્તન અને (4) પરિસ્થિતિ પરિવર્તન. વળી આગળ ઉપર તેઓ કહે છે કે - (1) કેટલીક સંસ્થા ગુણયુક્ત હોય છે. (2) કેટલીક સંસ્થા દેષયુકત હોય છે. (3) કેટલીક સંસ્થા ગુણદોષયુકત હોય છે. જે સંસ્થાઓમાં ગુણુ વધારે અને દોષ ઓછા હોય છે તેવી સંસ્થાને નડી ન શકાય. ગુણને ટેકો અપાય અને દોષને દુર કરાય. માત્ર દેષયુકત સંસ્થાને જ તોડાય. . હવે એ દષ્ટિએ વિશ્વવાત્સલ્યને શું કાર્યક્રમ છે, તે. જોઈએ. અનુબંધ વિચારધારા પ્રમાણે કોંગ્રેસને બીજા પક્ષો કરતાં વધારે ગુણયુક્ત માનીને તેના દોષો દુર કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. એના અનુસંધાને, તે નિષ્પક્ષ લોકશાહીમાં કોંગ્રેસ સિવાયના પક્ષોની પ્રતિષ્ઠા તોડી, ગ્રામસંગઠનને આર્થિક-સામાજીક ક્ષેત્રો સોંપવામાં આવે અને લોકસેવક સંગઠનોને શિક્ષણ-સંસ્કૃતિનાં ક્ષેત્ર સોંપવામાં માને છે એટલું જ નહીં, તે રાજકીય ક્ષેત્રને પણ ઘડવામાં માને છે. અલબત દવાદારૂ કે અનાજ પાણી આપવામાં એટલે કે રાહતના કામોમાં પક્ષભેદ કરવામાં માનતું નથી. પણ જયાં પ્રતિષ્ઠા આપવાને સવાલ છે ત્યાં તે કેંગ્રેસને જ ટેકો આપશે અને તેના દોષો દૂર કરવા માટે બધી પ્રક્રિયાઓ કરશે. દા. ત. ગણોતધારાને પ્રશ્ન, નગર પંચાયતના અને મડળ સમિતિઓના ઠરાવને કેંગ્રેસે ન ગણકાર્યા અથવા તે કેંગ્રેસ; સરકારને સાચે માર્ગે દોરવા શકિતમાન ન રહી ત્યારે બાપુએ કહ્યું તેમ તેણે ઉપવાસની પ્રક્રિયા કરી. | બાપુ કહે છે: ઉપવાસની શકિત (1) પ્રેમીને કામ કરતા કરે છે અને (2) વિધીને કામને જગાડે છે. અનુબંધ વિચારધારા આજના યુગ સંદર્ભને જોઈ ઉપવાસની શકિતને વ્યકિતગત નહીં પણ સમાજગત P.P. Ac. Gunratriasuri M.S. Jun Gun Aaradhak Trust