Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ * 378 અકળાવે છે ખરી, પણ હતાશ બનાવતી નથી. કારણકે કેસને અમે સમાજનું અનિવાર્ય અંગ માનીને, જનસંગઠનનું રાજકીય માતૃત્વ આપીને અમે ચાલીએ છીએ. તેથી શુદ્ધ ગ્રામસંગઠનેનાં માણસે. તેમાં મોકલી એકબાજુથી એને સંગીન-મજબૂત કરીએ છીએ તે બીજી બાજુ પ્રાયોગિક સંધ અને ક્રાંતિપ્રિય સાધવર્ગ દ્વારા આંચકા આપી તેને શુદ્ધ બનાવી આગળ ધકેલીએ છીએ. કારણકે એકલી રાજ્ય સંસ્થા પાસે દંડશક્તિ અને કાનૂન સિવાય ખાસ કશે દમ ન હોય તે સ્વાભાવિક છે. સદ્ભાગ્યે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોંગ્રેસે આ દેશની સક્રિય તટસ્થ નીતિની સુદર છાપ પડી છે. હવે પંડિતજીના બદલે આખોયે કેંગ્રેસ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કામ કરતી થાય તે માટે ભાલ નળકાંઠો પ્રયોગ કોગ્રેસ પાસેથી આર્થિક, સામાજિક, શિક્ષણવિષયક અને સાંસ્કૃતિક કાર્યક્રમને બોજો જનતા અને જનસેવકો ઉપર નાખવા માગે છે. જે આ રીતે રાજ્ય–શુદ્ધિના સંદર્ભમાં સંસ્થાઓ દ્વારા લોકનીતિ ઘડાશે તો જ સુંદર કાર્ય થશે. એટલે હવેનું કામ વ્યકિતનું નથી, સંસ્થાઓનું છે અને તે પણ ઘડાયેલી શુદ્ધ સંસ્થાઓના અનુસંધાનમાં રહી સૌએ પાર પાડવાનું છે. - શ્રી દંડી સ્વામીઃ “ફૂલજીભાઈએ અબુભાઈની જેમ આ શિબિરમાં આવી પોતાના અનુભવે આ અનુબંધ ઘારાના વિચારે પચાવીને જે છાપ પાડી છે તે નવી ચેતના અપે છે. સંઘને સાથી તે લેકનેતા - શ્રી દેવજીભાઈ: “પાયાના એક ગ્રામ્યજન તરીકે ફૂલજીભાઈને છાપ એ દષ્ટિએ અંબુભાઈ કરતાં યે આપણું ઉપર વધારે પ્રભાવ પાડે છે. બીજું આપણે જ્યારે વિનોબાજીના અને સંતબાલજીનાં કાર્યો વિષે વિચાર કરી છીએ ત્યારે મને કૃષ્ણ અને વિદુર યાદ આવી જાય છે. આ ઉપમા કેવળ લાગુ કરવા માટે નહીં, પણ સમજવા માટે મૂકી શકાય. શ્રી કૃષ્ણ તે યુગના બધા પ્રશ્નો સાથે ચાલીને બધા પ્રશ્નોને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust