Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 393
________________ وفو મને થયું કે પરિવ્રાજકો ઉપર લોક-શ્રદ્ધા કેટલી? આજના પરિવ્રાજકો જે ભેગા બેસી શક્તા નથી; જેમને દ્રષ્ટિકોણ, આત્મા સાથે વિશ્વસેવાના સમન્વયનો પણ નથી, ત્યાં આ બધું માત્ર એની મેળે વિચારથી જ થઈ જશે એમ માનવું એને નરી ક૯૫ના સિવાય શું કહી શકાય ? એટલે મેં સાફ કહ્યું : “રામાયણ યુગથી જે નથી બન્યું, તે હકીક્ત આપણે નકારી નહીં શકીએ. તો પછી એ માર્ગે સમાજઘડતરની વાત સ્વીકાર્યા સિવાય રાજ્ય ન જોઈએ એને શું અર્થ?” અલબત વિનોબાજીમાં જ્ઞાન છે, તક છે, ત્યાગ છે, બાપુજીને સત્સંગની અસર છે, પણ મારા નમ્ર મતે સમગ્ર દૃષ્ટિ અને એ મુજબને વહેવાર જે રીતે બાપુ ગોઠવતા તે અનુભવ હજુ બાકી છે. ગુંદીનાં કાર્યો અને કાર્યકરો તેમજ જનતાને જોઈને તેઓ પ્રભાવિત થયેલા જણાયા. એટલે આપણે આશા રાખીએ કે સર્વોદય જ્યારે વહેવારૂ રૂપ પકડશે ત્યારે ભાલનળકાંઠા પ્રયોગનું કાર્ય તેના માટે માર્ગદર્શક બની રહેશે. * મારા નમ્ર મતે આજે લોકનીતિની વાત કરવા કરતાં લોકનીતિનું પ્રત્યક્ષ ઘડતર કરવું સર્વ પ્રથમ જરૂરી છે. એ લોકનીતિ એવી ઘડાવી જોઈએ જેની છાપ અને પ્રભાવ લોકો ઉપર પડે. આ કામ જોઈએ તો વિનોબાજી કરે કે જોઈએ તો સંતબાલજી કરે. અમારે એ અગે કશો વાંધો કે વિરોધ નથી. નામ ગમે તે હોય પણ કામ જોઈએ. કામ વિનાની વાતો અંતરની શ્રદ્ધા જમાવી શકશે નહીં. સંતબાલજીએ પ્રત્યક્ષ વહેવારમાં અમને અમારા દ્વારા કરી બતાવ્યું છે એટલે અમને તેમના પ્રતિ શ્રદ્ધા પામી છે. અમને રાજનીતિમાં નબળાઈએ સ્પષ્ટ * દેખાય છે. દા. ત. કેરલમાં જોડાણ થયું; દ્વિભાષી પ્રયોગ તોડી નંખાયો, જેની પાસે ત્રીસ વર્ષ પહેલાં કંઈ ન હતું. તેની પાસે વ્યાસી (83) લાખ રૂપિયા નીકળ્યા. આ બધી બાબતો અમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426