Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 347 નળ કાંઠઃ પ્રગ-વિધવા સત્ય સાથે જોડાઈ જાય અને ભાલનળ કાંઠા પ્રયોગે પણ સર્વોદયની સાથે તેના સુકાર્યો છે તેની સાથે અનુબંધ જેડી. લેવો જોઈએ. તો આ બને મળી આખા વિશ્વમાં અહિંસાને નાદ ગજવી શકશે. સર્વોદયી કાર્યકરો જોશે તો તેમનાં ખૂટતાં તો વિશ્વવાત્સલ્યના ભાલ નળ કાંઠા પ્રયોગમાં તેમને જરૂર મળી આવશે. સુંદર છે પણ સર્વાગી નથી: શ્રી દંડી સ્વામી બોલ્યા : “વાત સાચી છે કે વિનોબાજી વિકતામાં સુંદર છે પણ સર્વાગીપણામાં કાચા છે. ત્યારે ગાંધીજી પાસે સર્વાગી દ્રષ્ટિ હતી. ગાંધીજી બધા ક્ષેત્રની આરપાર નીકળતા. તેઓ મુત્સદ્દી પણ હતા અને મહાત્મા પણ હતા. મુસદ્દી એટલે ખેલાડી. ગણાય, તેમાં પણ સત્યનું બિંદુ બરાબર નજર આગળ હોય અને સાધનોની શુદ્ધિ જળવાય તો બન્નેનું કલ્યાણ સાધી શકાય, આમ ગાંધીજી, સર્વાગી, સર્વોદયી અને આધ્યાત્મિક એમ ત્રિમૂતિરૂપ હતા. તેમના કાર્યમાં લોકસંગઠન, લોકસેવક સંગઠન વગેરે સંગઠિતરૂપે સહાયક બનેલા. ત્યારે વિનોબાજી નિમિત્તના કાર્યક્રમોમાં સંગઠિત બળના જોડાણની. કચાશ પ્રથમથી રહી ગઈ છે. આમ છતાં એમના નિમિત્તના વિચારોએ અમૂક અંશે રૂ૫ લીધું અને રચનાત્મક કાર્યકરે એક સ્થળે ભેગા થયા. એ સારું થયું છે. પણ જાગૃતિ અને સતત ક્રિયાશીલતા ન રહી તે ખામી થઈ છે. હવે તે પુરાવી જોઈએ.” એક દ્વિધા શ્રી દેવજીભાઈ : “સંત વિનોબા એક વ્યક્તિ તરીકે આપણે. પૂરે આદર મેળવે છે પણ જેઓ તેમને ગાંધીજીના આધ્યાત્મિકવારસદાર લેખાવે છે અને એમણે જાતે પણ જે વિશ્વક્રાંતિના દાવા સાથે કામ ઉપાડ્યું અને પછી આ સ્થિતિ થઈ તેથી બહુ મોટું નુકશાન પણ થયું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust