Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ ૩પ૭ પક્ષ રહેશે, જે તેમના કાર્યમાં સહાય કરશે. જ્યાં સહકારની જરૂર હશે, ત્યાં સહકાર અને જ્યાં વિરોધની જરૂર હશે ત્યાં વિરોધ કરશે. આ બને પક્ષે રાજનૈતિક ક્ષેત્રમાં કામ કરશે. એ ઉપરાંત એક ત્રીજો પક્ષ નિષ્પક્ષ સમાજને હવે જોઈએ જે આ અધિકારી કે વિરોધી દળને નહીં હોય પણ તે જુદી જમાત હશે. આ જમાત સેવાના કામમાં તથા રાજતંત્ર–લોકતંત્ર બન્નેને મર્યાદામાં રાખનારી હશે. એના માટે એક દેશવ્યાપી મેટો કાર્યક્રમ હશે. આ કાર્યક્રમોના નીચેના પાંચ મુદ્દા હશે - (1) સ્વ–પરની જીવનશુદ્ધિ. (2) નિત્ય નિરંતર અધ્યયનશીલતા. (3) સમાજસેવાના ઉપેક્ષિત ક્ષેત્રે પ્રત્યે ધ્યાન આપવું. . (4) સમાજજીવન અને સરકારી કામોમાં જ્યાં ભૂલ જુએ, અનિષ્ટ છે જુએ ત્યાં જાહેરાત અને નિર્દેશ કરે; પણ રાગદ્વેષ રહિત થઈને. અને જરૂર પડે ત્યાં સક્રિય પ્રતિકાર-સત્યાગ્રહ પણ કરે. (5) સમાજ જીવનના ગૂંચવતા પ્રશ્નોને અહિંસાત્મક નૈતિક ઉકેલ કાઢે. આ બધી વાતે સુશાસનની તરફેણમાં જાય છે. એટલે શાસનમુકિત ”નું પ્રયોજન આ વાતને ગૂચવે છે. ઉપરાંત એકવાર તેમણે એમ પણ કહ્યું કે સુશાસન પણ ન જોઈએ. તાત્કાલિક કારણોસર કે રાજ્યસરકારની ભૂલો તરફ તેઓ ઘણીવાર ઉકળીને જે વિધાને કરે છે તેને કોઈ મેળ બેસતો નથી. તેમણે એકવાર કહ્યું : " સરકાર કોઈ ભૂલભરેલું કામ કરતી હોય ત્યારે તેની સામે અવાજ ઉઠાવવા માટે અમારી જરૂર નથી, પણ સરકાર કોઈ સારું કામ કરતી હોય ત્યારે જ જોરદાર અવાજ ઉઠાવવા માટે અમારી જરૂર છે. દુઃશાસનના વિરોધમાં તે મહાભારતમાં વ્યાસે અવાજ ઉઠાવ્યો જ છે. ખરાબ શાસન ચાલે છે તે લોકો જ ટીકા કર્યા કરે છે એમાં અમારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust