Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 14 [2] શ્રી દલુરાય માટલિયા સર્વોદયના રાજનૈતિક દૃષ્ટિકોણ વિષે અત્યાર સુધી જે વાત થઈ તેના અનુસંધાનમાં જણાવવાનું કે સર્વોદયને ઘડનાર ગાંધીજી હતા. એટલે ગાંધીજીને દૃષ્ટિકોણ શું હતો તે જાણવું જરૂરી થશે. ગાંધીજી જ્યારે આફ્રિકામાંથી એક પ્રયોગ કરીને ભારતમાં આવ્યા ત્યારે; અહીં ઘણું અલગ અલગ વર્ગો હતા. એક હિંસાધારા ક્રાંતિમાં માનનારે વર્ગ હતો. બીજી હિંદુ મહાસભા હતી. ત્રીજી મુસ્લિમ લીગ. ચોથો વિનીત વર્ગ. પાંચમે તિલક ગોખલે વ. નો સ્વરાજ્યવાદી દ્રષ્ટિકોણવાળા વર્ગ. આમ જુદા જુદા વર્ગો હતા. સમાજવાદી પણ કામ કરતા હતા. એમણે એમ ન વિચાર્યું કે એ બધા વર્ગો સરખા છે. જો કે તેઓ બધા સાથે હળતા, મળતા અને સ્નેહ રાખતા. કોંગ્રેસમાં પણ ક્રાંતિ-વાદી, વિનીત અને મવાલ વગેરે વિચારતા લોકો હતા. એમની પાસે ગાંધીજીએ માંગણી કરી કે “મને પ્રયોગ કરવાની તક આપે ! " પણ બધાય વિચારના લોકોને ગાંધીજી ઉપર વિશ્વાસ શી રીતે બેસે? વિશ્વાસ બેસાડવા માટે વિનય અને સેવા જોઈએ. સાથે સાથે બહુમતિ પણ જોઈએ. તે સમયની કેંગ્રેસમાં, મોતીલાલ નેહરૂ જેવા વિદ્વાન હતા, તિલક જેવા “સ્વરાજ્ય અમારો જન્મસિદ્ધ અધિકાર છે” એમ કહેનારા પણ હતા. ઝીણું સાહેબ જેવા વિનંતિ કરીને ચાલનારા પણ હતા. આ બધાને સમજાવવા કઈ રીતે? ગાંધીજીએ વિનય અને સેવાના સૂત્રે ચાલુ કર્યા. તેમણે પિતાના સ્થાન કે ભાનની પરવાહ કર્યા વગર; સહુથી પહેલાં તે વખતના પ્રમુખશ્રીને ફાઈલો કાઢી આપવી, બટન લગાડી દેવા અને ઓફિસ-રેક વગેરે વ્યવસ્થિત કરી દેવી, તેમનાં વ્યાખ્યાન લખી આપવા અને નેધ પણ કરી આપવી, આ બધી સેવાની પ્રવૃત્તિઓ શરૂ કરી. આમ તેમણે - મુરબ્બીઓનાં મન જીતી લીધાં. પછી તેમણે જોયું કે રસ્તાઓ અને P.P. Ac: Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust