Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 382
________________ લાવવાનું સૂચન કર્યું. પણ તે વખતના સંયોગોમાં ગાંધીજી પતિ આદર હોવા છતાં, તેમના દ્વારા પ્રસ્તુત “સત્ય-અહિંસા ”ની ભાવનાને જાળવવાની ઈચ્છા હોવા છતાં; એ શબ્દો બંધારણમાં તેઓ લાવી ન શક્યા. ગાંધીજી કોંગ્રેસથી છૂટા થયા પછી પણ ઘણું આંચકા આવ્યા, અલગ રહ્યા, છતાં છેવટ સુધી તેને સમર્થન આપતા ગયા. વિનોબાજીએ એનાથી જુદો માર્ગ અપનાવ્યો છે. કોંગ્રેસે શાંતિમય બંધારણની રીતે આગળ વધવાની દિશા સ્વીકારી છે. સામ્યવાદી લોકો ગુપ્તતા અને હિંસાને છડેચોક માને છે અને કોંગ્રેસ પણ એ બનેનો આશ્રય લેશે તો આગળ નહીં વધી શકે. તે માટે અગુપ્તતા અને અહિંસાનો આશ્રય લેવો જોઈએ. આ બે વસ્તુઓ અને આર્થિક વિષમતા મટાડવા માટે જમીન ઉપરની માલિકી ઘટાડવા માટે ભૂદાન વગેરેના કાર્યક્રમો એમણે ઉપાડ્યા. બ્રહ્મપુરીમાં કોગ્રેસના મુખ્ય કાર્યકર્તાઓ આગળ તેમણે પોતાના વિચારો રજૂ કર્યા. કોંગ્રેસે હવે સત્યઅહિંસાને પ્રગટ કરી વિષમતા તોડવી જોઈએ. ઢેબરભાઈએ તે માટે પ્રયત્નો કર્યા, 5. જવાહરલાલજીની સંભાવના રહી, છતાં પણ કોંગ્રેસ એ વસ્તુને ન સ્વીકારી શકી. કેંગ્રેસ એક પક્ષ રૂપે નહીં પણ રાષ્ટ્રના ધન રૂપે છે તે છતાં વિનોબાજીએ બીજા પક્ષોને તેની હરોળમાં મૂકવા કહ્યું કે “કૃપલાણી, અશોક મહેતા, લોહિયા વગેરે વિરોધ પક્ષમાં હોવા જોઈએ, એમની સેવા વિરોધ પક્ષમાં જરૂરી છે વિરોધ પક્ષમાં રહે તે છતાં તેમની સેવા દેશ માટે જરૂરી છે. તેઓ પણ દેશના રત્ન છે.” વિનોબાજીએ આમ કોંગ્રેસને બધા પક્ષોની બરાબરીમાં મૂકી તે બરાબર ન થયું અને પં. જવાહરલાલ નેહરૂને પણ તે વાત ન ગમી. ત્યાર બાદ બધા કોંગ્રેસ વતી સત્તા લેવા માટે ઝંખવા લાગ્યા. એટલે વિનોબાજીએ સત્તા નિરપેક્ષ રહેવાની વાત કરી. વિનોબાજીએ આ ભૂમિકાએ કોંગ્રેસને એકપક્ષ કહી, સર્વ સેવા સંધ પક્ષાતીત રહે એ માટે વિનોબાજીએ લોકનીતિની વાત કરી. લોકનીતિ લોક ઘડતર વગર ન થઈ શકે. વિનોબાજીની મુશ્કેલી ત્યાં છે ! લોકોને ઘડવા માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426