Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ ચર્ચા-વિચારણું ગાંધીજી બાદ સર્વોદય વિચાર પ્રવાહ શ્રી માટલિયાજીએ સર્વોદયના રાજકીય દૃષ્ટિકોણ ઉપર આજની ચર્ચાનો પ્રારંભ કરતાં કહ્યું : “ગાંધીજીએ કોંગ્રેસમાં રાજકીયનેતાઓ અને નવલોહિયા યુવાનો બંનેને વિનય અને સેવાથી આકર્ષાને 'કેગ્રેસનું રૂપાંતર કરી તેને વાહન શી રીતે બનાવી તે વિષે આપણે સવારે વિચારી ગયા હતા. ના ગાંધીજી પછી સર્વોદયના વિચારને વેગ અને ગતિ આપનાર વ્યક્તિઓમાં મોખરે બે પુરૂષો આવે છે: (1) 5. જવાહરલાલ નેહરૂ, (2) વિનેબા. 5. જવાહરલાલે ૧૯૩૩માં કોંગ્રેસના પ્રમુખ તરીકે ચાવીરૂપ દેશના ઉદ્યોગેનું રાષ્ટ્રીયકરણ, દેશના વૈજ્ઞાનિક યંત્રનું ઉધોગીકરણ, અને સમાજવાદની આસપાસમાં રાજ્યની નીતિ ગોઠવવા અંગે વિચાર્યું. પણ ત્યારે ખૂબ ઉહાપોહ થયા. મહાત્માજીએ પણ પંડિતજીની સાથે પત્રવહેવાર કર્યો. તે વખતે વકીલો, વિદ્વાને, મૂડીવાદીઓ વગેરે બધા જ કોંગ્રેસની સાથે હતા. તેમને સ્થાપિત હિતવાળા ગણીને કોંગ્રેસની શક્તિ ન તડવી એમ બાપુ વગેરેની સલાહ હતી. પંડિતજીએ . તે વખતે ધીરજ રાખી. પણ પાછી સન ૧૯૫૦માં તેમણે એ વાત ફરીથી મૂકી. ત્યારે બાપુ ન હતા. પણ, ચતુરબુદ્ધિ સરદારે સલાહરૂપે કહ્યું : “લોકો ચમકી જશે. પરદેશમાં પણ વિરોધ થશે. એ લોકોને કહેવાનું થશે કે આ તો સામ્યવાદ તરફ જઈ રહ્યા છે. એટલે મૂળ સ્વરૂપ એજ રહે પણ એની એજ વાત બીજા શબ્દોમાં કહેવી જોઈએ ! એટલે તે વખતે “સહકારી કલ્યાણકારી રાજ્ય " એ મતલબના શબ્દ મૂકાયા. “આવડી અધિવેશન” વખતે “સમાજવાદી ઢબ” અને પછી ક્રમે ક્રમે " સમાજવાદી સમાજ રચના” શબ્દો મૂકાયા. અને છેવટે “લોકશાહી સમાજવાદી રચના” શબ્દ આવી પહોંચ્યો. આમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust