Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 365 શેરીઓ ગંદા છે, એટલે જાતે સફાઈ શરૂ કરી. એથી ઘણા લોકો ખુશ. થયા. ત્યારબાદ ગાંધીજી કેંગ્રેસમાં દાખલ થઈ શકયા. ગાંધીજીને વિનય નમ્રતાના અર્થમાં આવ્યો પણ એના કારણે સિદ્ધાંતના પાયાના સવાલમાં નમતું મૂકવું એ તેમણે કદિ ન સ્વીકાર્યું. એમણે સેવા-વિનય અને સત્ય એ ત્રણથી કદિયે વેગળા ન રહેવાને નિશ્ચિય કર્યો. આ પછી પણ તેમણે પોતાના વિચારે કોંગ્રેસમાં દાખલ કરાવવા માટે જરા પણ ઉતાવળ ન કરી, તેમણે એના પ્રયોગો કર્યા. તેઓ આખું હિંદ ફર્યા. તે વખતે ચંપારણમાં ગળીના કારખાનાના મજૂરોની લડતા ચલાવી, સાથોસાથ બિહારના ખેડૂતોનો ત્રાસ મટાડ્યો. અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના કરી મજુર અને મિલ–માલિકના ઝઘડા દૂર. કર્યા. નમક-કર માટે લડત ચલાવી દાંડીની ઐતિહાસિક કૂચ કરી. તેમાં ખેડૂતોને પણ લીધા. આથી તેઓ લોકોના અને કોંગ્રેસના વિશ્વાસપાત્ર બની ગયા. ત્યાર પછી ગાંધીજીએ કોંગ્રેસને ઢંઢોળી અને જણાવ્યું : “જે મારે કેંગ્રેસને વાહન બનાવવી હોય તો, એને શકિતશાળી. બનાવવી જોઈએ અને એમાં જે તત્ત્વ ખૂટે છે તે ઉમેરવા માટે. પુરૂષાર્થ કરવો જોઈએ. એટલે વિરોધી વલણ ધરાવતા લોકોને પણ ગાંધીજીએ એક સૂત્રતામાં બાંધ્યા. લોકસંપર્ક વધારવા માટે તેમણે કેંગ્રેસી-કાર્યકરોને કાર્યક્રમો આપ્યા. આમ કોંગ્રેસને શકિતશાળી બનાવવાનો તેમને પ્રયાસ સફળ થયો. પણ તેમને હજુ નિષ્ઠાનો તાગ મેળવો - હતો. એટલે તેમણે રજૂ કર્યું કે “કાંતે તે પહેરે ! આ આજની રાષ્ટ્રિય એકતા માટેની મૂળભૂત વસ્તુ છે. એને ન માને તે નીકળી. જાય.” કેટલાક તે વખતે કોંગ્રેસમાંથી ખસી પણ ગયા. આ પછી કોંગ્રેસમાં ઘણું ઉતાર-ચઢાવ આવ્યા. તપ, ત્યાગના ઘણા કાર્યક્રમો. : આપી બાપુએ એ સંસ્થાને ઘડી; અને તેને સત્ય-અહિંસાની દિશામાં ગતિશીલતા આપી. આ પછી ગાંધીજી એક ડગલું આઘળ વધ્યા. તેમણે પૂનાના કોંગ્રેસ અધિવેશન વખતે કોંગ્રેસના બંધારણમાં “સત્ય-અહિંસા' શબ્દ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust