Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 345 કર્યા, ન સંસ્થાઓમાં માન્યું. એટલે ભૂદાનને કાર્યક્રમ સર્વોત્તમ હવા છતાં, તેનું વ્યવસ્થિત રૂપ બંધાય તે પહેલાં કાર્યક્રમ જુવાળબદ્ધ આવ્યો એવો જ ઝપાટાબંધ જુવાળ ઓસરી ગયો. ચિત્ર વિંખાઈ ગયું. સંસ્થા થાય તે ડખાડખી થાય. નાણુની ગોલમાલ થાય, એવા એવા–ભયે સંત વિનોબા ડરી ગયા.પણ, જે વ્યાપક પ્રવૃત્તિ લીધી, તો પછી જોખમ કરીને પણ આગળ વધવું જોઈતું હતું. જો એ પ્રવૃત્તિ જાગૃતિપૂર્વક આગળ વધી હોત તો આવો એનો કરૂણ ફેજ ન થાત. સંત વિનોબાજીની વિદ્વતા, સમજ અને કાર્યક્રમમાં દીર્ધદષ્ટિ જેવું દેખાયું; પણ કાર્યક્રમની દેખરેખ કે નૈતિક આધ્યાત્મિક રીતે પિતાનું નિમંત્રણ નહીં, એટલે આ સ્થિતિ થઈ. પણ તેને સુધારી અનુબંધ વિચારધારીએ તો કાર્યક્રમનું ધરમૂળથી સંશોધન કરી આગળ વધવું જોઈએ. વ્યાપકતા જેટલું ઉંડાણ પણ જોઈએ શ્રી દેવજીભાઈ : “સર્વોદય કાર્યક્રમમાં પ્રથમથી જ વ્યાપકતા ઉપર જેટલું ધ્યાન અપાયું તેટલું ઊંડાણ ઉપર ન અપાયું. તેથી કાર્યક્રમો મોટા પણ તેનાં ધાર્યા પરિણામ ન આવ્યાં. એક ખેડૂત પાસે પાંચસો એકર જમીન હોય. સાધન, ખેડૂત, મજૂરી વ. બધું હોય એટલે વાવવા જાય ત્યારે “બી” ઘણું હોય દેખાવ મોટો લાગે, પણ આવડત ન હોય તે બી જેમ તેમ ફેંકી આવે, તે નિંદામણ ન કરે તે લીલોતરી તો વધુ લાગે પણ ખડામાં પાક ઓછો આવે ત્યારે વ્યવસ્થિત રીતે પચ્ચીશ એકરમાં બી સરખી રીતે વાવનાર વધારે પાકને લણે. બાપુ વખતની મૂડી ઉપર કાર્યક્રમ મોટા મોટા મૂકાઈ ગયા, વિશાળપણ ખરા અને લોકોનું આકર્ષણ પણ જામ્યું. પાછળથી જે સ્થિતિ થઈ તે ભારે દુઃખદ થઈ. સ્વરાજ્ય પહેલાં જે ભરતી થયેલી એના કરતાં પણ વધારે ભરતી થઈ એ પ્રવાહમાં મોટા મોટા લોકો તણાઈ આવ્યા પછી સાધારણ લોકનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust