Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 351 ગત ભૂલો સુધારી, ગત લાભને સંદર્ભ જાળવી, નૈતિક જનસંગઠને મારફત, આગળ વધવું રહ્યું. આમ ખૂટતાં તો પૂરી સર્વોદયની શક્તિને સાચા સંદર્ભમાં વહેવડાવીએ તે ધાર્યું પરિણામ આવી જશે. - શ્રી બળવંતભાઈ : “ભગવાન મહાવીરે કાર્ય કયાં ઓછું કર્યું છે ! ત્યાં સાધક હોવા છતાં, જનસંગઠનોને પ્રભાવ રાજ્ય ઉપર પડવાના કારણે આજે ભગવાન મહાવીરના અનુયાયી લેખાતા ભાઈ-બહેને પણ અહિંસાને વ્યકિતગત કે સામુદાયિક રીતે આચરી શકતાં નથી. આથી અનુબંધ વિચારધારાની વાત સર્વોદયમાં ઉમેરવાની વાત પ્રશસ્ત લાગે છે. ' કાર્યકરે જોઈએ– શ્રી સુંદરલાલ : સંગઠનો માટે પરિગ્રહ, પ્રાણ અને પ્રતિષ્ઠાનું બલિદાન આપનારા કાર્યકરો પાયામાં જોઈશે. - શ્રી નેમિમુનિ: “પ્રારંભમાં થોડા હશે પણ પછી તો સંગઠનોમાંથી સુંદર ઘડાયેલા કાર્યકરોને નવો ફાલ પાકશે, એટલું જ નહીં, જૂના કાર્યકરોમાં કચાશ હશે તે સંગઠને પોતે એમને સાવધાન કરી કચાશ પૂરાવશે અથવા ફેંકી દેશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust