Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 185 ભલે એ વેદિયા–વેડા કહેવાય, ખરેખર એજ સાચે સ્પષ્ટ માર્ગ જણાય છે.” નીતિનિષ્ઠાથી વિવેક બ્રહ્મચારીજી : “નીતિનિષ્ઠા હોય તો કર્મકાંડમાં વિવેક આવી જાય છે. કીડીઓને સથવા નાખનાર એક બહુ હૃદયવાન શેઠ હતા. એકવાર તેમને વિચાર આવ્યો : “આ કીડીઓ સહિત લોટ કૂતરૂ ચાટશે તો દયા કરતાં કુદયા થઈ જશે.” એટલે તેમણે કાંટાની ઝાડીઓ એ લોટ ઉપર મૂકી કીડીઓ તેથી બચી ગઈ કહેવાની મતલબ એ કે ધર્મ કે વ્રતમાં આ વિવેક નીતિનિષ્ઠાના કારણે જ આવે છે; એમ લાગે છે, બળવંતભાઈ : “નીતિનિષ્ઠા હેય તે આંધળું અનુકરણ પણ મટી જાય.” એક માણસે અમદાવાદમાં ધર્મરાજ યુધિષ્ઠિરનું ખોટું અનુકરણ કરી જુગારમાં પોતાની સ્ત્રીને મૂકી હતી. ખરેખર તો; આવા મહાપુરૂષો પણ આવા માગે ગયા, તો તેમણે ભૂલથાપ ખાધી તે બધ લઈ જુગારને છંદ મૂકવો જોઈએ. . માટલિયા : “ધર્મને લક્ષમાં રાખી સહિયારી નીતિ ઘડાય તે નીતિ ગણાય.” મુનિશ્રી સંતબાલજીઃ “અહીં નીતિનિષ્ઠાને અર્થ, દર્શનજ્ઞાનના રૂપમાં લેશે તો વધુ સ્પષ્ટ થશે. વિશ્વ વાત્સલ્યનું દર્શન સ્પષ્ટ થયા પછી જ આચાર વિશ્વ વાત્સલ્યને માર્ગે થશે.” ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust