Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 236 : - તેમજ ખંડન કરવા લાગ્યા. દરેક એમ જ કહેવા લાગ્યો કે મારી દવાથી જ - આ રોગ મટશે. તેમને વાક-કલેશ એટલો બધો વધી ગયો કે તેઓ કઈ - એક નિર્ણય ઉપર જ ન આવી શક્યા કે રોગીને કઈ પદ્ધતિએ ઈલાજ કરવો જોઈએ ? રોગી મરણાસન હતો પણ કોઈને એની ફિકર ન હતી. બધાને પિતાની ચિકિત્સા - પદ્ધતિની પ્રશંસા કરવાની જ પડી હતી. છેવટે એક સમજુ અને બુદ્ધિમાન માણસ આવ્યો અને કહેવા - લાગ્યો : “તમને કંઈ પણ ભાન છે કે નથી કે તમે પિત પિતાની પદ્ધતિની પ્રશંસા કર્યા કરે છે પણ કેઇને, રેગીને સાજો કરવાની ચિંતા નથી. તમે બધા નિષ્કર, હૃદયહીન, અને સ્વાથી લોકો છે !" અને અયોગ્ય ચિકિત્સકો છે. આ સાંભળી બધા શરમાઈ ગયા અને - નીચું મેટું કરીને ચાલતા થયા. આવી જ હાલત આજે ધર્મોની થઈ છે. દુનિયા અનિષ્ટ રેગથી પીડાઈ રહી છે; હિંસા, અન્યાય, અનીતિ, દાંડાઈ અસત્ય વગેરે પાપતાપથી આ વિશ્વ પીડાય છે. બધા ધર્મો ભેગા થયા છે પણ તેમને અનિષ્ટ-નિવારણ કરવા અંગે કંઈ પણ પડી નથી. તેઓ પોતપોતાની પ્રતિષ્ઠા વધારવા માટે લડી રહ્યા છે કે કેવળ પોતાના ધર્માનુયાયી-ઓનો વધારો કરવામાં બેઠા છે. અનિષ્ટોથી પીડાતી આ દુનિયાને તેમના અનુયાયીઓને પણ તેઓ દુઃખ નિવારણ ઔષધ રૂપ સત્ય• અહિંસા વગેરેના યુગાનુરૂપ કાર્યક્રમો આપવા તૈયાર થતા નથી. આજને માનવસમાજ માંદે છે. નિતિક મૂલ્યો પરવારી ચૂક્યાં છે તે છતાં પોતાના ધર્મની પ્રશંસા અને બીજાની નિંદા, એનાથી ઉપર આવી તેને ઠીક કરવાની ચિંતા બહુ જ થોડા લોકોને છે. સંકુચિતતાના નાના અને બંધિયાર ક્ષેત્રમાં ધર્મ જેવા વ્યાપક તત્વને બંધ કરી લોકોને સત્યશ્રદ્ધા રૂ૫ ધર્મના પાલન કરવાને દાવો કરે; એ ખોટો છે. આ માટે જરૂરી છે કે બીજાના ધર્મને દૃષ્ટિકોણને તેની અંદર રહેલા સત્યાંશને સમજવાનો પ્રયત્ન થવો જોઈએ અને તેમાં સત્યાંશ લાગતું હોય તે તેને સ્વીકૃતિ આપવાની તત્પરતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust