Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 240 તેના ઉપર મત આપતાં સુથારે કહ્યું: “ભત અને ખાઈબરાબર છે પણ ભીંત લાકડાની બને તે સારું છે.” લુહારે પ્રતિવાદ કરતાં કહ્યું: “લાકડાની ભીંત શું ટકશે ? લોઢાની ભત હોય તો સારી વાત છે. ગળી પણ અંદર ન જઈ શકે !" રાજ્યના વકીલે ઊભા થઈને કહ્યું: “આમાંથી એકેય વાત કરવાની જરૂર નથી. શત્રુ પક્ષને યુક્તિ-પ્રયુક્તિથી સમજાવી દેવો જોઈએ કે આ રીતે બળજબરીથી કોઇની સંપત્તિ ખૂટવી લેવાને કોઈને અધિકાર નથી. આ કાર્ય સંપૂર્ણ રીતે અન્યાયપૂર્વકનું અને કાયદા બહારનું છે. " પુરોહિતથી ન રહેવાયું અને તેણે ઊભા થઈને કહ્યું: “એ બધું કરે કાંઈ પણ નહીં વળે. પહેલા દેવતાઓને રાજી કરે ને યજ્ઞ કરે, હોમ કરે હવન કરો, દાન કરો, બ્રાહ્મણને જમાડો ! આશીર્વાદ એવા વરસશે કે શત્રુ પ્રજામાંથી કોઈને પણ હાથ લગાડી શકશે નહીં!” કોઈકે કહ્યું: “ગાંડ થયો કે ?" બસ પછી જે વાકયુદ્ધ ચાલ્યું અને પોતાના મતને સાચો કરાવવાની જે હેડ થઈ કે રાજાએ બધાને બેસાડી દીધા અને કહ્યું: “તમે બધા કકકો ખરો કરવા માટે પ્રયાસ કરે છે એટલે રાજ્ય રક્ષણ માટે અયોગ્ય છે !" . જે એ લોકો બીજાનો આશય સમજીને નમ્રપણે પિતાને મત રજુ કરત તો કદાચ તેમની વાતને સ્વીકાર પણ કરવામાં આવ્યો હોત. પણ મતાગ્રહી લોકો એ રીતે વિચારતા નથી. પિતાનું સાચું અને બીજાનું ખોટું છે, એમ જ માનતા ફરે છે અને યેન કેન પ્રકારેણ તેને સિદ્ધ કરવા યુકિતઓને એ તરફ દોરી જાય છે. . આચાર્ય હરિભદ્રસૂરિએ કહ્યું છે - . आग्रही बत निनीषति युक्ति, तत्र यत्र मतिरस्य निविष्टा / निष्पक्षपातस्य तु युकि, यत्र तत्र तस्य मतिरेति निवेशम् // –ોગબિંદુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust