Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 287 અને નવો વર્ગ વધારે હોય ત્યારે સાધુ સંસ્થાના બધા સભ્યોના ગુણના સરવાળા કરતાં નબળાઈને સરવાળે વધી પણ જાય, તે છતાંયે દિવ્યગુણોને સમાજમાં વિકાસ તે સાધુ સંસ્થા જ કરશે. એવું પણ જોવામાં આવે છે કે શિષ્ય-શિષ્યાના મોહના કારણે આહારની વહેંચણી વખતે સાધુઓમાં ખટરાગ ઊભો થયા કરે છે. એવું ન થવા પામે તે માટે સાધુસંસ્થાને શિસ્તનાં બંધને પણ છે. શિસ્તભંગ કરે કે અમૂક દેશે કરે એને પ્રાયશ્ચિત પણ આપવામાં આવે છે. પ્રાયશ્ચિત ન સ્વીકારે તો સમાજનું નિતિક દબાણ પણ એના ઉપર લાવવામાં આવે છે અને ફરીથી દેષ કરતા અટકાવવા પડે છે. આ તેની ઉજળી બાજુ થઈ પણ તેની બીજી બાજુએ એવું પણ જોવામાં આવે છે કે એમાંથી (પ્રાયશ્ચિત) બચવા માટે કેટલાક સાધુઓ દંભને આશ્રય લે છે. દંભની સાથે અજ્ઞાન અને અહંકાર પણ હોય છે. એટલે સાધુ સંસ્થામાં રહેલા સાધુઓ “અહ” ન ઓગળે ત્યાં સુધી સર્વથા નિલેપ રહી શકતા નથી. પણ, બીજા ભાન કરતા સાધુતા સ્વીકારી દિવ્યભાગે જવા માટે અમુક દિવ્ય ગુણવાળા સાધુ પાસે રહીને વિકાસ સાધવાનો છે અને એ માટે જ સાધુ સંસ્થા રચાયેલી હોય તેણેજ દિવ્યગુણો સમાજમાં વિકસાવવાનો કાર્યક્રમ પાર પાડવાને છે. એના માટે દિવ્ય ગુણોનો વિકાસ સાધનાર સાધુઓએ સાધુસંસ્થામાં રહી, દિવ્ય ગુણોને સમાજવ્યાપી બનાવવા માટે ભૂમિકા તૈયાર કરવી જોઇશે; તેમ જ ચારે ય અનુબંધોને ગોઠવવાની તૈયારી કરવી પડશે. તે જ આ સંગઠનો દ્વારા ગુણવિકાસ સાધી શકાશે. સાધુસંસ્થાની કોઈ પરંપરા ગુણવિકાસ ઘાતક હશે તો તેમાં તેઓ સંશોધન કરશે. આવા ક્રાંતિદ્રષ્ટા સાધુઓ પિતાની સાધના દઢપણે કરતા કરતા પિતાના આત્માને વિશ્વમાં વિલીન કરી શકશે. અરવિંદે કહે છે તેમ H “ઉર્ધ્વગામી ચેતના થઈ ગઈ હોય તો દિવ્યગુણો તેમાં પ્રગટે છે અને તેનાથી બીજા, ચેતનાવાળા પ્રેરણા લે છે.” તો આ પ્રમાણે દિવ્યગુણ વિકાસી ક્રાંતદ્રષ્ટા સાધુ, સમાજની અવ્યવસ્થા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust