Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 290 તે વાતને કેવી રીતે મૂકી શકાય? જે આ રાજ સંસ્થા–કોંગ્રેસ અનુકૂળ ન થાય તો શિક્ષણ અને સંસ્કૃતિના કાર્યકમો કેવી રીતે મૂકી શકાય? કોંગ્રેસ પંચવર્ષીય યોજના પંચાયત દ્વારા ચલાવવાનું તેમજ શિક્ષણ સંસ્કૃતિનાં કાર્યો પ્રાયોગિક સંઘ દ્વારા ચલાવવાની વાત સ્વીકારે તો તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં અનુકૂળ થઈ શકે. અને તેના વડે વિશ્વમાં અહિંસક દૃષ્ટિના વળાંકની વાત રજૂ કરી શકાય. વિશ્વમાં અહિંસક દષ્ટિએ ન વળાંક આપવા માટે એક બીજે ઉપાય એ પણ છે કે વિશ્વના બધા ધર્મોની પરિષદ યોજાય અને તેમાં સર્વમાન્ય કાર્યક્રમની ચર્ચા થાય. અહિંસા, સત્ય, ન્યાય, અપરિગ્રહ તેમજ ભવાદી, નિઃશસ્ત્રીકરણ, અણુઅસ્ત્ર પ્રતિબંધ વગેરેની વિચારણા થાય અને વિશ્વની આચાર સંહિતા ગોઠવાય. આ રીતે સંસ્કૃતિ અને શિક્ષણના ક્ષેત્રમાં કામ કરતી વિશ્વસંસ્થા તરીકે યૂનેસ્કો છે; તે દ્વારા જે એ કાર્યક્રમ આગળ ધપાવાય તો વિશ્વશાંતિનો માર્ગ સહેલો બને. આજે “યુનેસ્કો”, “યૂનો ના સંચાલન હેઠળ છે ત્યારે ખરેખર તો તે યૂનાની પ્રેરક-પૂરક સંસ્થા હોવી જોઈએ પણ તેમ નથી. આમ છતાંયે તેનું બંધારણ સ્વતંત્ર છે. “યૂને રાજકારણમાં અને યૂનેસ્ક સાંસ્કૃતિક ક્ષેત્રમાં કામ કરે તે જરૂર વિશ્વશાંતિ સ્થાપવામાં ઘણું નકકર કાર્ય થઈ શકે. આપણે ત્યાં સંસ્થાઓને જે ક્રમ યોજે છે. તે પ્રમાણે સર્વ પ્રથમ (1) ક્રાંતિપ્રિય સાધુસાધ્વી વર્ગ પછી (2) રચનાત્મક કાર્યકરનું (જનલોકોનું) સંગઠન, (3) વિવિધી જન સંગઠનો અને (4) રાજ્ય સંસ્થા (કોંગ્રેસ)નો નંબર હતો અને હવે જોઈએ એવી માન્યતા છે. યૂનો ( વિશ્વરાજ્ય સંસ્થા)થી એ (કોંગ્રેસ) આગળને નંબર ત્યારે જ લઈ શકે જ્યારે એ આન્તરરાષ્ટ્રિય બને. આજે વિશ્વભરના સાધુઓનું સંગઠન નથી તેમજ વિશ્વના રચનાત્મક કાર્યકરોનું સંગઠન પણ ગાઠવાયું નથી. આ બંને સંગઠને વગર એકલાં પ્રજાકીય (જન) સંગઠને–જેમકે આન્તરરાષ્ટ્રિય શ્રમિક સંગઠન (જેમાં ખેડૂતો અને મહિલાઓ તે છે જ નહીં.) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust