Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 307 સાચું શિક્ષણ આપવાનો છે અને સત્ય કહેતાં કહેતાં પ્રાણુ હેમી દેવાનું છે. સિપાઈનો ધંધે પિતાના પ્રાણ સાટે પ્રજાનું રક્ષણ કરવાનો છે. વૈદને ધંધે પ્રજાની તંદુરસ્તી જાળવી રાખવા, પિતાની સુખસગવડ મૂકવાનો છે. વકીલને ધધ પ્રજામાં અદલ ઈન્સાફ ફેલાવવાનો છે; તેમ કરતાં કરતાં જો સહેવું પડે તે સહેવું જોઈએ. વેપારીનો ધધે પ્રજાને જોઈતો માલ પૂરો પાડવાને છે; તેમ કરતાં જ સહેવું પડે તે સહેવું ઘટે.” આ વિચારધારાની ઊંડી અસર ગાંધીજી ઉપર થઈ અને તેમનામાં " અંત્યોદયની”ની ભાવના જાગી. હિંદમાં આવ્યા ત્યારે તેમણે જાહેર કર્યું કે “હું આપણા દેશની પછાતમાં પછાત ગણાતી કોમની બાઈને રાખવા માગું છું.” તેમણે હરિજન આશ્રમમાં લક્ષ્મીબાઈ નામની એક કન્યાને રાખી. હરિજન કુટુંબને તેમણે આશ્રમમાં વસાવ્યાં. હરિજનોદ્ધાર માટે તેમણે હરિજન–સેવકમાં ઘણું લખ્યું. એક વખત તેમણે હરિજનો માટે આમરણ ઉપવાસ-અનશન પણ કર્યું. પહેલાં તેઓ આદર્શ લગ્ન વખતે આશીર્વાદ આપતા. પછી વરકન્યા પૈકી એક હરિજન હોય તો આશીર્વાદ આપવાનો નિયમ કર્યો. હરિજનોની આર્થિક સ્થિતિ સુધારવા તેમણે ફંડફાળા પણ કર્યા તે વખતના ધર્મધુરંધરે અને પંડિતેને બેલાવી તેમણે હિંદુધર્મના શાસ્ત્રો ધાવી પ્રમાણ મેળવ્યા. પંડિત મદનમોહન માલવીય અને આનંદશંકર ધ્રુવ જેવા વિદ્વાનોએ હિંદુ ધર્મશાસ્ત્રમાં માનવ માનવ પ્રત્યે ધણું અને ભેદભાવ છે જ નહીં એ સિદ્ધ કરી બતાવ્યું. જે કંઈ ધર્મના નામે ચાલે છે તે માનવતા વિહેણું કૃત્ય સ્વાથી લેકો ચલાવે છે એમ સાબિત કરી, “અસ્પૃશ્યતા હિંદુધર્મ માટે કલંક છે” એ વાત ઉપર પંડિતો અને વિદ્વાનોની મહોર લગાવી. એટલું જ નહીં તેમણે અસ્પૃશ્યતા નિવારણનો ખરડે પણ રાજ્ય મારફત બનાવ્યો. આમ પછાતમાં પછાત કોમને તેમણે ઉદ્ધાર કર્યો. ત્યારબાદ બીજા જે પછાત વર્ગો હતા તેમના ઉદ્ધારનું કાર્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust