Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 318 એની સાથે દંડમુક્ત સમાજ અગે એકવાર સંત વિનોબાજીએ કહ્યું હતું. પણ એ ત્યારે જ થઈ શકે જ્યારે એ અંગે પરિસ્થિતિ પિદા કરવામાં આવે કે લોકો પોતે જ સ્વમર્યાદા કે કાયદા કાનૂનને પાલન કરે, એક બીજા સાથે પ્રેમભર્યો અહિંસક વર્તાવ કરે. આવા . યુગલિયા કાળ જેવા માટે પણ જનતાનું ઘડતર સુસંસ્થાઓ દ્વારા થવું જોઈએ, પણ આ કોઈ કાર્યક્રમ સર્વોદયની પાસે આજે નથી. સર્વોદયનું ત્રીજું સૂત્ર છેઃ “વર્ગ વિહીન સમાજ રચના” , એ ત્યારેજ થઈ શકે કે વર્ગ પાડનાર અલગ ધંધાઓનું વિલીનીકરણ કરી નાખવામાં આવે જે આજે તે શક્ય નથી. અલગ અલગ ધંધાઓ કરનારનાં હિતે અલગ અલગ હોઈ બધાના વર્ગો પડવાના જ અને સાધનાની દષ્ટિએ તેમનામાં ધોરણ-ભેદ પણ રહેવાનો. જે શક્ય વસ્તુ છે તે એકે પરસ્પર એ વર્ગો કે કક્ષાઓનો સમન્વય, પરસ્પરના અવલંબનનની પ્રક્રિયા દ્વારા થઈ શકે. એ ત્યારેજ થાય જ્યારે અનુબંધ વિચાર ધારા પ્રમાણે કાર્ય થાય. એ વાત કે વિચાર આજે સર્વોદયમાં નથી. સર્વોદયનું ચોથું સૂત્ર છેઃ “ભૂદાન મૂલક ગ્રામોદ્યોગ પ્રધાન અહિંસક ક્રાંતિ” એવી ક્રાંતિ માત્ર વ્યક્તિઓના સરવાળાથી ન થઈ શકે. તે તે નૈતિક સંગઠન દ્વારા જ સંભવે છે. પ્રજાનું ટોળું મળે અને વિચારને આવકારે પણ આચારમાં ઉતારવા માટે કોઈ કાર્યક્રમ ન હોય તે પ્રજાનું ઘડતર ન થાય. અહિંસક ક્રાંતિની દિશામાં પ્રજાનું ઘડતર કરવા માટે તેવા નૈતિક સંગઠન દ્વારા અન્યાયનો અહિંસક પ્રતિકાર કરે જરૂરી છે. આ વાત સર્વોદયમાં નથી. આ બધી વસ્તુઓ ઉપરથી આજના સર્વોદયમાં શું શું ન ખૂટ છે તેને ખ્યાલ આવી શકે છે. તેમની પૂર્તિ કરવાથીજ સર્વોદય સાચા ' અર્થમાં ગાંધીજીનો નિર્દષ્ટ સર્વોદય થઈ શકશે. એ સર્વોદય વિશ્વવાત્સલ્યની નજીક હશે. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust