Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ ૩રર જીવવાને જમાને આવ્યો અને હવે તો મરીને જીવાડોને મંત્ર વિશ્વવાત્સલ્ય માર્ગે જતાં સર્વોદયના વિકાસમાં આવ્યો છે. એટલે પ્રાણ. પ્રતિષ્ઠા અને પરિગ્રહ––ત્યાગની વાત આવી છે. મારા નમ્ર મતે તે દુનિયામાં એકેએક માણસ સુખથી અને ન્યાય પૂર્વક ભાનભેર રીતે જીવે તેવી સૌને સમાનાધિકારની જોગવાઈ થાય તો કદાચ અહિંસક પ્રતિકાર પણ ઓછા કરવા પડશે. અલબત્ત એ સ્થિતિએ પહોંચતા પહેલાં જેટલા જરૂરી લાગે તે બધાયે અહિંસક પ્રતિકાર કરવા જ રહ્યા. પણ એ અલગ અને આવશ્યક વાત છે. આ દ્રષ્ટિએ યંત્રો કરતાં જાતમહેનત અને સાદાઈ ઉપર જેટલો ભાર અપાય તેટલો જરૂરી છે અને મૂડી તથા રાજ્ય કરતાં સેવા અને નીતિ ઉપર જોર અપાય તે જરૂરી છે. દા. ત. ખેડૂત અને ગોવાળ જેવા શ્રમજીવીઓને બહુ ઓછું જુઠ કે પ્રપંચ કરવાની જરૂર ઊભી થાય. પણ જમીનદાર કે સત્તાલોલુપી કે મૂડીવાદી વગેરેને સત્ય, નીતિ અને ન્યાય સાચવવાં કઠિન થઈ પડવાનાં. ત્યાંસુધી એમનું શોષણ ચાલુ રહેશે અને અહિંસક પ્રતિકાર કરવો પડશે. વિશ્વહિત માટે સર્વસ્વ ત્યાગની જરૂર - શ્રી બળવંતભાઈ કહેઃ “મારા નમ્ર મતે આજે કુટુંબનું, ગ્રામનું, દેશનું અને કદાચ આખાયે જગતનું અહિત થતું હોય તોયે તેવું કુકન્ય કરવા ઘણા લોકો તૈયાર થઈ જશે. ખરી રીતે તો વિશ્વહિત માટે સર્વસ્વ તજવાની વાત હોવી જોઈએ. વિનોબાજીના ભૂદાન વ. પ્રયત્નો જે અર્થમાં કામયાબ નીવડવા જોઈએ તેટલા નીવડ્યા નહીં. અસમાનતા દૂર કરવાની વાતો કરવાથી કંઈ ન થઈ શકે તે તો શ્રમ, સાચી કેળવણી અને એક્તાના પ્રયાસોથી જ થાય. સરકારની માત્ર ટીકા કરવી તે પણ બરાબર નથી. સરકારની એક મર્યાદા જરૂર છે પણ તે પોતાની મર્યાદામાં તો શકય તેટલો સાથ આપવા તૈયાર રહેશે. અલબત્ત રાજ્ય ઉપર પ્રજનું અને પ્રજા ઉપર નીતિ ન્યાયનું પ્રભુત્વ હોવું જોઈએ. ધર્માધતા, વહેમ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust