Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 327 ભગવાન બુધે આપી હતી તેજ ન રહી; સુસંગઠનો સાથે અનુબંધ ન રહ્યો; ગૃહસ્થ સાધક-સાધિકા સાથે અનુબંધ પણ તૂટી ગયો અને વ્યવસ્થા બગડી. એટલું જ નહીં ભિક્ષુણીઓને સંઘમાં સ્થાન આપ્યા બાદ આગળ જતાં સંધમાં એકબીજાને અનુબંધ ન રહેવાને કારણે બૌદ્ધ ધર્મ પતન પામે. એટલે કાર્યક્રમોમાં ચારેયને દીર્ધદષ્ટિથી વિચાર કરવો જોઈએ. આજના સર્વોદયમાં સંત વિનોબાજીએ સહુથી મહત્વને જે કાર્યક્રમ ઉપાડો તે ભૂદાનને. આખા દેશમાં એની સારી એવી ચળવળ ચાલી; વિદેશોમાં પણ ભૂદાનની હવા ફેલાઈ વિદેશથી લોકો એ જોવા માટે આવ્યા કે “ભારતમાં લોકો પ્રેમથી જમીન કઈ રીતે આપી દેવા તૈયાર થાય છે!” એમને આ કાર્યક્રમ જોઈ ખૂબ જ પ્રસન્નતા થઈ આશ્ચર્ય થયું; પણ સર્વોદયના ભૂદાનાદિ કાર્યક્રમમાં કેટલાંક તો ખૂટતાં હતાં. તે પૂરાવાં જોઈતાં હતાં પણ તે ન પૂરાયાં. કાર્યક્રમોની સાથે જે રચનાત્મક કાર્યકરો જોડાયા તે ઘડાયેલા ન હતા. એટલે સર્વાગી દૃષ્ટિ આવે જ કયાંથી ? ભૂદાનનું કાર્ય એક રાહતનું કાર્ય સમજાવા લાગ્યું. કાર્યકરોનું કોઈ શિસ્તબદ્ધ સંગઠન કે સંધ ન થયાં. તેઓ વ્યક્તિગત રીતે ભૂમિહીને અને ભૂમિદાતાઓના સંપર્કમાં આવ્યા. તે જે જનતાના સંપર્કમાં કાર્યકરે આવ્યા તે જનતાનું કોઈ નેતિક સંગઠન ન થયું; તેથી ઘડતર થવાને સંભવ ન રહ્યો. ભૂદાનાદિ થયા પછી તેની વ્યવસ્થા અપૂર્ણ રહી તેથી ગોટાળાઓ થવા લાગ્યા.કાર્ય કરે, સર્વ સેવા સંઘને નામે ભેગા થયા ખરા, પણ ત્યાં બંધારણ કે શિસ્તની વાત ઢીલી હોવાથી આર્થિક ગોટાળા પણ થયા. ભૂદાન કાર્યના આદ્ય પ્રણેતા સંત વિનોબાજની પ્રકૃતિમાં સંગઠન અને સંગઠનના નિયંત્રણો ઉપર ઉદાસીનતા છે. એટલે તેમણે એ તરફ કદિ ધ્યાન ન આપ્યું. તેમણે વિચાર ફેલાવવાનું કાર્ય મોટે ભાગે રાખવું. પરિણામે વિનોબાજી જે ગામમાં જાય ત્યારે ત્યાં હવા ફેલાય પણ તેમના ગયા બાદ ત્યાં વિચારને અનુરૂપ કોઈ કાર્ય કે વ્યવસ્થા ન બને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust