Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 312 - સર્વોદયમાં પછાતમાં પછાતને ઉદય - વિકાસ થતો અને સાથેસાથે તેને વિરોધપક્ષ પણ હળ બનીને વિકસિત થત; જેમકે શાષિત વર્ગ શોષણ ઓછું થવાથી; અને શોષક વર્ગ શોષણ ઓછું કરવાથી. તેના બદલે “ભૂદાન” નિમિત્તે સર્વ-સેવા આવતાં લોકમાનસમાં ઉદય” થવાને બદલે ગ્રંથિઓ પેસવી શરૂ થઈ ભૂદાન દ્વારા જમીન આપવાથી, બીજાં સાધનો દ્વારા મૂડી કે ખેતીના સાધનો આપવાથી લોકોને રાહત આપવા–અપાવવાનું કાર્ય જરૂર થયું પણ સર્વોદય ન થયે; કારણકે દાનના કારણે દેનારમાં ગૌરવગ્રંથિ અને લેનારમાં લાઘવ ગ્રંથિ થેડીક આવી ગઈ. દેનારે બહુ જ ઓછીવાર આ ભાવના સાથે આપ્યું કે “મેં સમાજ પાસેથી આ વધારે મેળવ્યું છે. તેને સમાજને આપવું એ મારું કર્તવ્ય છે અથવા મને આ શેષણ દ્વારા મળ્યું છે તે તેના પ્રાયશ્ચિત રૂપે હું આવું છું.” મોટા ભાગે તે ઉપકાર કરતા હોય એ રીતે જ આવ્યું. આમ સર્વોદયના નવા સ્વરૂપમાં એક જ સંગઠન રહી ગયું તે સર્વ-સેવા-સંધ. નવા નૈતિક જન સંગઠને ન તે રચાયાં કે ન એવાં સંગઠનેને સ્વીકૃતિ આપવામાં આવી. એટલે સમાજમાં અન્યાય, અત્યાચાર, અનીતિ જેવાં અનિષ્ટો હઠાવવાની શકિત વ્યકિતગત રહી પણું તેની પ્રતિષ્ઠા સમાજમાં ન તૂટી. સંગઠનો દ્વારા એ તૂટવી જોઈતી હતી પણ એમ ન થયું. પરિણામે જેમ અંધારાને હઠાવ્યા વગર ઉદય ન થઈ શકે તેમ અનિષ્ટોનાં અંધારાને હઠાવ્યા વગર સર્વોદય કયાંથી થઈ શકે ? ' આવાં અનિષ્ટ કેવળ સામાજિક ક્ષેત્રમાં જ નથી પણ એ આર્થિક ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં, સાંસ્કૃતિક ક્ષેત્રમાં અને શિક્ષણ વગેરે બધાયે ક્ષેત્રમાં છે. આ બધામાં “દાન લેવું અને દેવું” એ પ્રવૃત્તિને અનુરૂપ આજને સર્વોદય કેવળ આર્થિક ક્ષેત્રને અધ્યાત્મનો. પુટ આપીને સ્પર્શે છે. એનાથી રાહતનું કામ જરૂર થાય છે પણ અનિષ્ટો હઠતાં નથી; તે એકબંધ રહ્યા કરે છે. કયારેક એવું પણ જોવામાં આવ્યું છે, ગઈ કાલ સુધી જેણે બધા પ્રકારના અત્યાચારો –અનિષ્ટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust