Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 315 રાજનીતિ ન જોઈએ પણ લોકનીતિ જોઈએ એવી વાત આજે સર્વોદયમાં થાય છે. એ તેજ બની શકે કે કાંતે સર્વોદયશાહી ઊભી થાય, અગર તો એ પહેલાં જે શાસન છે તેને શુદ્ધ કરાય, બદલાય કે હઠાવાય. કેવળ તેની ઉપેક્ષા કરવાથી તે હઠી જવાનું નથી; અને તેથી લોકનીતિ પણ નહીં આવે. સર્વોદય સંસ્થા સત્તા ન લે કે હોદા ન લે પણ રાજનીતિની ઉપેક્ષા અને હિંદની આજે સારામાં સારી ગણાતી સંસ્થા કોંગ્રેસને સમર્થન ન કરવાની નીતિથી; રાજનીતિમાં વધારે ને વધારે સડે પેસતો જાય છે. જેમ ગૂમડું પગમાં થયું હોય પણ તેની વેદના આખા શરીરને ભોગવવી પડે તે જ રીતે આ સડે વધતાં તે સર્વોદય ને પણ ભારીજ પડશે. - લોકનીતિ કંઈક એકાદ વ્યકિતના ઉત્સર્ગથી નથી આવવાની. એના માટે તો પ્રજાને રાજકારણથી અતડી રાખ્યા વગર લોક સંગઠનો ઊભાં કરી; બધા ક્ષેત્રના રોજબરોજનાં પ્રશ્નો ઉકેલવા પડશે અને લોકોનું ઘડતર કરવું પડશે. સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક વગેરે બધાયે ક્ષેત્ર રાજ્ય તાબે કર્યા છે તે તેની પાસેથી લોક સંગઠને અને લોકસેવક સંગઠનોના નૈતિક દબાણથી પાછાં લેવાં પડશે તે જ લોકનીતિ પ્રગટી શકશે અને ટકી શકશે. શાસન નિરપેક્ષ સમાજ અંગે સંત વિનોબાજીએ રાજ્યની જરૂરત ઉપર બોલતાં કહ્યું છે કે; જેમ ખતરો આવતા રેટમાં : સાંકળની જરૂર પડે એમ ખતરે આવે ત્યારે જ રાજ્યની જરૂર છે. પણ એને માટે પ્રજાનું પિતાનું નૈતિક સંગઠન થવું જોઈએ અને પ્રજાસેવક સંગઠન તૈયાર થવું જોઈએ. રાજ્યને અને જનસંગઠનોને પ્રજાસેવક સંગઠનની પ્રેરણા બરાબર મળતી રહેવી જોઈએ તેમજ સમાજ, અર્થ, સંસ્કૃતિ અને શિક્ષણના ક્ષેત્રે રાજય પાસેથી દૂર થઈ આ જનસંગઠન કે નૈતિક જનસેવક સંગઠને પાસે જવાં જોઈએ. નહીંતર ડગલે અને પગલે રાજ્ય દરેક કાર્યમાં ડખલગીરી કર્યા જ કરશે ત્યારે કેવી રીતે નિરપેક્ષતા રહી શકશે ? [ આ અગે મધ્યપ્રદેશમાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust