Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 308 : તેમણે હાથ લીધું. તેમના ઉત્થાનના કાર્યક્રમો તેમણે જ્યા. એમાં ગામડ; નારીજાતિ અને શહેરી મજૂરોને લીધા. તેમણે ગામડાઓના - ઉત્થાન માટે જુદા જુદા રચનાત્મક કાર્યક્રમ મૂક્યા. નારીજાતિનીમાતાઓની નૈતિકશકિત જાગૃત કરી તેમને અહિંસક પ્રતિકારના કાર્યોમાં લગાવ્યા. શહેરી મજૂરોનું સંગઠન કર્યું. મજૂરો અને મહાજનનું સંયુક્ત સંગઠન કર્યું અને નીતિના તો પૂર્યા. ગરીબ ભારતનું શોષણ મટાડવા માટે તેમણે વિદેશી માલનો બહિષ્કાર કરાવ્યો અને સ્વદેશીવ્રત અપાવ્યું. આ રીતે ગાંધીજીએ અંત્યોદય”માંથી સર્વોદયનું કામ ખીલવ્યું. કોઈને પ્રશ્ન થશે કે “અંત્યોદય માંથી ગાંધીજીએ સર્વોદય કેવી આ રીતે પ્રગટાવ્યો? એનો જવાબ ગાંધીજીએ ‘હિંદ-સ્વરાજ્યમાં આજ છે. તે છતાં જે વિચારવામાં આવે તો તેમની દરેક પ્રવૃત્તિ સંગઠને વડે. સર્વોદય સાધવાની હતી એમ લાગશે. - પ્રાર્થના સત્યાગ્રહ, અનશન, ને આખલી હુલ્લડમાં શાંતિ સ્થાપના વગેરે પ્રવૃત્તિઓ; બીજી તરફ રચનાત્મક કાર્યકર અને કોગ્રેસી લોકોનું ઘડતર, ત્રીજી તરફ હિંદુ-મુસિલમ એકતાનું ઘડતર; ચોથી તરફ ગ્રામ અને નગરની પછાતપ્રજાના ઘડતરનું કામ; આ બધાં કામો તેઓ એકી સાથે કરાવી લેતા હતા. એટલે અત્યંજે-હરિજનો અને પછાતવર્ગોને ઉદયની સાથે સાથે તેમનું શોષણ કરનારા, રંજાડનારા અને તેમને પછાત રાખનારાઓનું શોષણ પણ મટી જઈ નીતિ અને ધર્મનાં તો આવવાથી ઉદય જ થતો. આમાં એક તરફ શેષણ ન થવાથી પછાતવર્ગોને ઉદય થશે અને બીજી તરફ શેષણ કરતાં અટકતા હોવાથી શોષક વર્ગને પણ ઉદય થયો. એવી જ રીતે અંગ્રેજો સાથે ડંખ રાખ્યારખાવ્યા વગર અહિંસક લડાઈ ચાલી તેમાં એક તરફ ભારતીય પ્રજાને અને બીજી તરફ અનિષ્ટોથી હટવા માટે અંગ્રેજોનો પણ ઉદય જ થયેપરિણામે હિંદ સ્વરાજય આપવાની તરફેણ કરનારા ઘણા માણસે 'પાક્યા અને આગળ આવ્યા. ભારત પ્રતિ તેમને આદર રહ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust