Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 305 વધારે માણસનું સુખ જાળવવું એ હેતું રાખવામાં આવ્યો તેથી ડાને-અલ્પ સંખ્યક દુઃખ દઈને પણ તે સુખ અપાય તો હરકત નથી, એમ માનતા થયા. તેનું પરિણામ એ આવ્યું કે ગુલામો અને ગરીબોની સ્થિતિ પશ્ચિમના દેશોમાં છેવટ સુધી ખરાબ જ રહી. પણ, આની વિરૂદ્ધ કેટલાક ડાહ્યા વિચારકોએ અવાજ ઉઠાવ્યો. વધારે માણસને પૈસા ટકાનું સુખ હોય, જોઈએ તે કરતાં પણ વધારેએ ખુદાઈ કાયદાથી વિરૂદ્ધ છે. એવી જ રીતે પોતાના મોજશોખ માટે, ભૌતિક સુખ માટે થોડા લોકોને રંજાડીને, તેમની પાસેથી પરાણે કામ લેવું એ પણ નીતિ-નિયમ અને ઈશ્વરીય કાનૂનની વિરૂદ્ધ છે એમ એ ડાહ્યા માણસોએ કહ્યું. - જોન રસ્કિન એ ડાહ્યા માણસોમાંને એક હતા. તેણે ઘણું વિષયો (હુન્નર, ચિત્રકળા, કળા વગેરે) ઉપર પુસ્તકો લખ્યાં. પણ તેણે તે વખતના લોકોને જે નીતિ વિષયક પુસ્તકો આપ્યાં તેનું મૂલ્યાંકન કંઈક વધારે છે. તેણે એક નાનકડું પુસ્તક લખ્યું છે - Unto this Last (અંટુ ધીસ લાસ્ટ). આ પુસ્તકે યુરોપના લોકો ઉપર જમ્બર વિચાર પરિવર્તનની છાપ પાડી હતી; અને સમજુ માણસો તેને વાંચવા અને સમજવાનો પ્રયત્ન કરતા હતા. એટલું જ નહીં એ પુસ્તકે યુરોપના કેટલાક દેશોમાં લોકક્રાંતિના બીજનું આરોપણ કર્યું હતું. એકવાર મહાત્મા ગાંધીજી ટ્રાંસજેર્ડન જઈ રહ્યા હતા. તે વખતે તેમના મિત્ર મિ. પિલિકે તેમને આ પુસ્તક વાંચવા આપ્યું. મહાત્મા ગાંધીજીએ આ પુસ્તક વાંચ્યું. તેથી તેમના વિચારોમાં ઉથલ-પાથલ મચી. તેમણે એ વિચારે પ્રમાણે પિતાનું જીવન ગાળવાનો સંકલ્પ કર્યો. ફિનિકસમાં તેમણે ટોલ્સરોય-આશ્રમ” ખેલીને ત્યાં કેટલાક કુટુંબ સાથે રહેવું શરૂ કર્યું. તેમણે ખેતી અને ગ્રામોદ્યોગ શરૂ કર્યા અને તેઓ જાતે શ્રમનિષ્ઠ બનીને રહેવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust