Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 289 કે ઉપરાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણન ગમે તેટલા પ્રયત્ન કરે તો તેનું : ધાર્યું પરિણામ નહીં આવે. આજે વિશ્વશાંતિની કડી રાજકારણ સાથે ." જોડાયેલી છે. એટલે વિશ્વના રાજકારણની રીતે જ્યાં સુધી ન વિચારય અને આવી સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો ન ગોઠવાય, ત્યાં લગી આપણું , ભારતના કાર્યક્રમો અધૂરા રહેવાના. . વિશ્વના રાષ્ટ્રને વિચાર ધૂનમાં થાય છે. વિશ્વના રાજકારણની : સંસ્થા યૂને છે. તેમાં અલગ અલગ રાષ્ટ્રના પ્રતિનિધિઓ બેસે છે. આજે વિશ્વને ઘડનારૂં બળ રાજ્ય-રાજકારણ છે. આ બધા રાષ્ટ્ર વિશ્વને રાજકારણની રીતે જ ઘડવા માગે છે. વિશ્વને વિચાર કરવામાં ધૂનેને નવો વળાંક આપ હોય તે, તે ભારતરાષ્ટ્ર દ્વારા જ આપી શકાય. કારણ કે ભારત પણ યૂને સંસ્થાને એક પ્રતિનિધિ દેશ છે. ભારતરાષ્ટ્ર દ્વારા જે ન વળાંક આપવાનું છે, તે અહિંસક ક્રાંતિની દૃષ્ટિ એ જ હશે. ભારતમાં આજે ઘણા વિચાર પ્રવાહો છે. તેમાં કેટલાક આ . અહિંસક દષ્ટિને અનુકૂળ છે તો કેટલાક પ્રતિકૂળ છે. તે બધાને તાળો : કેવી રીતે મળે એ જોવાનું રહે છે. બીજી બાજુ રાષ્ટ્રની પ્રતિનિધિ : રાજ્ય સંસ્થા કોંગ્રેસને પણ આ વસ્તુ ગળે ન ઉતરે કે “સામાજિક, ; આર્થિક, સાંસ્કૃતિક, અને શૈક્ષણિક ક્ષેત્રો પ્રેરક-પૂરક બળનાં હાથમાં : હોવાં જોઈએ.” આ વાત બીજા ઘણાઓને ગળે ઉતરતી નથી. અહીં એક વાત સાફ કહી દઈએ કે આ બધા કાર્યક્રમ પાછળનો હેતુ એટલો જ છે કે જો આ બધી જવાબદારીઓ કોંગ્રેસ ઉપરથી હળવી થાય તે તે ઘરઆંગણે રાજકારણમાં સંપૂર્ણ અહિંસક દષ્ટિએ કાર્ય ' કરવાની સાથે યૂમાં પણ અહિંસક દષ્ટિએ વિશ્વને વળાંક આપવાની કે શક્તિ ધરાવતી સંસ્થા બની શકે. . * * વિચારવાની વાત એ છે કે જે ઉપરોકત વાત કોંગ્રેસ કે બીજાઓને ગળે ન ઉતરે તો વિશ્વસંસ્થા–ચૂનોમાં, રાજ્ય સંસ્થા કોંગ્રેસ દ્વારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust